________________
શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
પાડ્યું. અરિષ્ટ નેમિનો જન્મ સાંભળીને વસુદૈવાદિકે મથુરામાં પણ મહોત્સવ કર્યો.
સમયને જતાં વાર લાગતી નથી. લાંબો કાળ પસાર થઈ ગયો. અરિષ્ટનેમિ દશધનુષ્ય ઊંચી કાયાવાળા થઈને યૌવનને પગલે પગલા માંડ્યા.
૧૭૭
એક વા૨ નેમકુમાર દ્વારિકાની વિશાળ આયુધશાળામાં ગયા ત્યાં તેઓ વિવિધ અસ્ત્રો જોવા લાગ્યા.
નેમકુમારે સૂર્યના બિંબ જેવું પ્રકાશમાન સુદર્શન ચક્ર જોયું, બળરામનો સુઘોષ શંખ નિહાળ્યો. શાઙ્ગ ધનુષ્ય, કૌમુદકી ગદા, ખડગ તેમજ પંચજન્ય શંખ નિહાળ્યો.
અરિષ્ટનેમિએ ચારૂકૃષ્ણને કહ્યું : ‘ચારૂકૃષ્ણ, મારે આ શંખ જોવો
છે.’
ચારૂકૃષ્ણે કહ્યું : ‘કુમારશ્રી, એ શંખ અદ્વિતીય છે. પંચજન્ય શંખ શ્રીકૃષ્ણ મહારાજ સિવાય કોઈ બજાવી શકે નહિ.' અરિષ્ટ નેમિકુમારને નવાઈ લાગી અને પૂછ્યું : “એવું તે શું છે કે શંખ કોઈ બજાવી શકે નહિ..?’
‘કુમારશ્રી, શ્રીકૃષ્ણ મહારાજનો શંખ પંચજન્ય શંખ છે. સામાન્ય શંખ નથી, પંચજન્ય શંખ વાગે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે. શ્રીકૃષ્ણ મહારાજને દેવતાઓએ આપેલો શંખ છે. આપ આ શંખ લેવા કે બજાવવા માટે સમર્થ નથી.’
અરિષ્ટનેમિની ઉત્કંઠા વધી. અંતરમાં પંચજન્ય શંખ બજાવવાનું મન થયું. એમણે તરત જ શંખ ઉઠાવ્યો અને સરળતાથી બજાવ્યો અને ચારે તરફ હાહાકાર મચી ગયો.
શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે પંચજન્ય શંખ કોણે બજાવ્યો હશે ?
આ તરફ પંચજન્ય શંખ રમતા રમતા બજાવીને યોગ્ય સ્થાને મૂકીને નેમકુમાર શ્રીકૃષ્ણ પાસે આવ્યા. એ દરમ્યાન શ્રીકૃષ્ણને સમાચાર પ્રાપ્ત થઈ ગયા કે નેકુમારે શંખ બજાવ્યો હતો. શ્રીકૃષ્ણ
ચો. તી. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org