________________
ચોવીશ તીર્થંકર
સાંભળીને અત્યંત હર્ષિત બન્યા. તે દિવસથી દેવીની જેમ સુખને આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગુઢગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો.
૧૭
અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં શ્રાવણ માસની શુકલ પંચમીની રાત્રે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપ્યો.
તે વખતે છપ્પન દિશાકુમારીઓએ ત્યાં આવીને શિવાદેવી તથા જિનેન્દ્રનું સૂતિકાકર્મ કર્યું.
ત્યાર પછી શક્રઇન્દ્રે ત્યાં આવીને પાંચ રૂપ કર્યા. તેમાં એક રૂપ વડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા. બે રૂપ વડે ચામર વિંઝવા લાગ્યા. એક રૂપ વડે મસ્તક ઉપર ઉજ્વળ છત્ર ધારણ કર્યું અને એક રૂપ વડે હાથમાં વજ્ર લઈને આનંદોત્સાહ સાથે પ્રભુની આગળ ચાલ્યા. એ પ્રમાણે મેરૂ પર્વતના શિખર ઉપર અતિ પાંડુકંબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખોળામાં લઈને શક્રઇન્દ્ર બેઠા. તે વખતે અચ્યુતાદિ ત્રેસઠ ઇન્દ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી જિનેન્દ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇન્દ્રના ખોળામાં પ્રભુને અર્પણ કરીને શકઇન્દ્રે વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કર્યું. ત્યારપછી કુસુમાદિક પૂજા કરી. આરતી ઉતારી, નમસ્કાર કરીને ભક્તિભાવથી મધુર વાણીથી ઇન્દ્રે પ્રભુની સ્તુતિ કરી.
ઇન્દ્રે સ્તુતિ કરીને જગતના નાથ પ્રભુને લઈને મહાદેવી શિવાદેવી પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમજ મૂકી દીધા. ત્યારબાદ ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે ત્યાં રહેવાની આજ્ઞા કરી. અને ઇન્દ્ર નંદીશ્વર દ્વીપ ગયા, ત્યાં સેવાપૂજા કરીને પોતાના સ્થાનકે ગયા.
પ્રાતઃકાળે મહારાજા સમુદ્રવિજયે અત્યંત હર્ષિત થઈને પુત્રનો મહાજન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી તેથી પિતાએ તેમનું નામ “અરિષ્ટ નેમિ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org