________________
૨૨ : શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
શૌરિપુર નગરી.
શૌરિપુર નગરી સુખ-સમૃદ્ધિ અને ધનધાન્યથી સમૃદ્ધ હતી. નગરીની પ્રજા સુખી અને સંતોષી હતી.
શૌરિપુર નગરીમાં મહારાજા સમુદ્રવિજયનું શાસન હતું. મહારાજા સમુદ્રવિજયને શિવાદેવી નામની પટ્ટરાણી હતી.
મહારાજા સમુદ્રવિજય અને મહાદેવી શિવાદેવીના દિવસો સુખેથી પસાર થતા હતા.
એક દિવસ રાત્રીના ચોથા પ્રહરે, કાર્તિક કૃષ્ણ દ્વાદશીનો દિવસ. ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે સતે અપરાજિત વિમાનમાંથી અવીને શંખરાજાનો જીવ મહાદેવી શિવાદેવીની કુક્ષીમાં અવતર્યો. એ વખતે શિવાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો હસ્તિ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પધ. સરોવર, સમુદ્ર, વિમાન, રત્નપૂન તથા અગ્નિને મુખમાં પ્રવેશતાં જોયા. તે વખતે નારકી જીવોને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થયો.
ત્યારપછી મહાદેવી શિવાદેવીએ જાગૃત થઈને મહારાજા સમુદ્ર વિજયને ચૌદ મહાસ્વપ્નની વાત કરી. મહારાજા સમુદ્ર વિજયે સ્વપ્નનો અર્થ જાણવા નિમિત્તજ્ઞને બોલાવ્યો. નિમિત્તજ્ઞ તરત આવ્યો. તેવામાં એક ચારણશ્રમણ સ્વયં ત્યાં પધાર્યા. રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાર્યા.
મહારાજાએ નિમિત્તજ્ઞ તથા મુનિને સ્વપ્નનું ફળ પૂછ્યું.
ત્યારે ઉત્તર મળ્યો કે તમારે ત્યાં ત્રણ જગતના પતિ એવા તીર્થંકર પુત્ર થશે.
આમ કહીને મુનિરાજ ચાલ્યા ગયા. મહારાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવી સ્વપ્નનું ફળ કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org