________________
૧૭૪
ચોવીશ તીર્થંકર
નકુલ, ફરશી, વજ અને અક્ષમાલાને ધારણ કરનારો ભૂકુટિ નામનો યક્ષ થયો.
જ્યારે શ્વેત અંગવાળી, હંસના વાહન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા ખડગ તેમજ બે વામ ભુજામાં બીજોરું તથા કુતને ધારણ કરનારી ગાંધારી નામની શાસનદેવી થઈ.
આ બન્ને દેવતા શ્રી નમિનાથ સ્વામીના શાસનદેવતા થયા. એ બને યક્ષ અને પક્ષીણી નિરંતર જેમની સમીપ રહેતા હતા એવા પ્રભુએ નવમાસે ઉણા અઢી હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. તેટલાં વિહારમાં પ્રભુને વીશ હજાર સાધુઓ. એકતાલીશ હજાર સાધ્વીઓ, સાડા ચારસો ચૌદ પૂર્વધારી, એક હજાર અને છસો અવધિજ્ઞાની, બારસો ને આઠ મનપર્યવજ્ઞાની, સોળસો કેવળજ્ઞાની પાંચ હજાર વૈક્રિય લબ્ધિવાળા એક હજાર વાદ લબ્ધિવાળા, એક લાખ ને સીત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને અડતાલીશ હજાર શ્રાવિકા જેટલો પરિવાર થયો.
શ્રી નમિનાથ સ્વામીએ પોતાનો મોક્ષકાળ નજીક આવેલો જાણીને સમેતશિખર ગિરિએ પધાર્યા ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન ગ્રહન કર્યું. એક માસના અંતે વૈશાખ માસની કૃષ્ણ દશમીના દિવસે અશ્વિની નક્ષત્રમાં શ્રી નમિનાથ પ્રભુ તે મુનિઓની સાથે અવ્યથ પદ (મોક્ષ) ને પ્રાપ્ત થયા.
શ્રી નમિનાથ સ્વામીએ કુમારપણામાં અઢી હજાર વર્ષ, રાજ્ય શાસનમાં પાંચ હજાર વર્ષ અને વ્રતમાં અઢી હજાર વર્ષ એમ, સર્વ મળીને દશ હજાર વર્ષનું આયુષ્ય શ્રી નમિનાથ પ્રભુનું પૂર્ણ થયું. શ્રીમુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયા ત્યારે શ્રી નમિનાથ સ્વામીનું નિવણિ થયું.
શ્રી નમિનાથ સ્વામીના નિર્વાણના ખબર અવધિજ્ઞાન વડે જાણીને સર્વ ઇન્દ્રોએ. દેવતાઓએ ત્યાં આવીને પરિવાર સહિત શ્રી નમિનાથ સ્વામી તથા એક હજાર મુનિરાજોનો શરીર સંસ્કારપૂર્વક નિવણિોત્સવ કર્યો.
શ્રી નમિનાથ, દેવતાઓએ યોજાનો શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org