________________
શ્રી નમિનાથ સ્વામી
૧૭૩
કર્યા. દત્ત રાજાએ પ્રભુના ચરણસ્થાને રત્નપીઠની રચના કરી.
અને શ્રી નમિનાથ સ્વામીએ અન્યત્ર વિહાર કર્યો. નવ મહિના સુધી વિહાર કરીને પછી પોતાના દીક્ષા સ્થાનવાળા સહસ્ત્રાપ્રવનમાં શ્રી નમિનાથ સ્વામી પધાર્યા, “અને છઠ તપનું આરાધન કરીને બોરસલીના વૃક્ષ નીચે કાઉસગ્ગ દશામાં ઊભા રહ્યાં.
માગશર માસની શુકલ એકાદશીના દિવસે અશ્વિની નક્ષત્રમાં ઘાતકર્મનો ક્ષય થવાથી શ્રી નમિનાથ સ્વામીને ઉજ્વળ, પ્રકાશમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓ ત્યાં આવીને તત્કાળ સમોસરણની રચના કરી. એકસો એંશી ધનુષ્ય ઊંચા આસોપાલવના વૃક્ષથી સમોસરણ શોભિત હતું. તે આસોપાલવના વૃક્ષને પ્રદક્ષિણા કરી, તીર્થને નમસ્કાર કરીને પ્રભુ પૂર્વાભિમુખે રત્નસિંહાસન પર બિરાજમાન થયા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં રત્નસિંહાસનની ઉપર પ્રભુના પ્રતિબિંબો વિકુવ્ય. ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠો ત્યારપછી સૌધર્મેન્દ્ર પ્રભુને ભક્તિભાવથી વંદન કરીને ભાવભરી સ્તુતિ કરવા લાગ્યો.
ઈન્દ્રની સ્તુતિ પૂરી થયા પછી ત્રણ જગતના ગુરુ પ્રભુએ ધર્મદેશના આપી.
શ્રી નમિનાથ સ્વામીએ ધર્મદિશનામાં જણાવ્યું કે આ સંસાર અસાર છે. ધન નદીના તરંગ જેવું ચંચળ છે. જ્યારે શરીર વીજળીના વિલાસ જેવું નાશવંત છે. ચતુરજનોએ આ ત્રણેય પ્રત્યેનો મોહ દૂર કરી મુમુક્ષુ થઈને મોક્ષમાર્ગ રૂપ યતિધર્મ વિષે પ્રયત્ન કરવો.
પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ પ્રવજ્યા અંગીકાર કરી તેમાં કુંભ વગેરે સત્તર ગણધરો થયા. પ્રભુની દેશનાના અંતે કુંભ નામના ગણધરે દેશના આપી. તે દેશના પૂર્ણ થયા પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા.
શ્રી નમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો. સુવર્ણ જેવા વર્ણવાળો, વૃષભના વાહન પર બેસનારો, ચાર દક્ષિણ ભુજામાં બીજોરું, શક્તિ, મુદ્ગર તથા અભય તથા ચાર વામણુજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org