________________
ચોવીશ તીર્થંકર
તીર્થજળથી પ્રભુને સ્નાન કરાવ્યું સ્નાત્ર કરી રહ્યા પછી શુક્રેન્દ્રે પુષ્પાદિ વડે પ્રભુનું અર્ચન કરી, આરતી ઉતારીને સ્તુતિ કરી.
૧૭૨
સ્તુતિ કર્યા પછી ઇન્દ્ર પ્રભુને લઈને વપ્રાદેવીના પડખામાં જેમ હતા તેમ પાછા મૂકી દીધા.
પ્રાતઃકાળે મહારાજા વિજયે કારાવાસમાંથી કેદીઓને છોડી મૂકીને આનંદ સહિત પુત્રજન્મનો મહોત્સવ કર્યો.
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધેલી હતી. તે વખતે વપ્રાદેવી મહેલની અગાશીએ ચડ્યાં હતાં. તેમને જોઈને ગર્ભના પ્રભાવથી સર્વ શત્રુઓ મહારાજા વિજય પાસે આવીને નમી પડ્યા હતા, તે ઉપરથી મહારાજા વિજયે પ્રભુનું નામ નમિકુમાર પાડ્યું. ઇન્દ્રે આદેશ કરેલી ધાત્રીઓએ હંમેશા પાલન કરેલ શ્રી મિનાથ બીજા ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યા.
!
બાલપણ પસાર થતા પ્રભુ પંદર ધનુષ્ય ઊંચી કાયાવાળા થયા અને પિતાની આજ્ઞાથી રાજકન્યા સાથે પરણ્યા. જન્મથી અઢી હજાર વર્ષ ગયા પછી ભોગફળ કર્મને જાણનારા શ્રી નમિકુમારે પિતાએ આપેલું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યના કારભારમાં પાંચ હજાર વર્ષ ગયા એટલે લોકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને તીર્થ પ્રવર્તાવો'ની વિનંતી કરી. આથી શ્રી નમિકુમારે સુપ્રભ નામના પુત્રને રાજ્યનો કારભાર સોંપીને તિર્થંકįભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે વાર્ષિક દાન આપવા લાગ્યા. વાર્ષિક દાન અપાઈ રહ્યાં પછી સુપ્રભ વગેરે રાજાઓથી અને ઇન્દ્રાદિક દેવોથી પરવરેલા પ્રભુ દેવકુરુ નામની શિબિકામાં બેસીને સહસ્ત્રામ્રવન તરફ પ્રવજ્યા અંગીકાર કરવા અર્થે ચાલ્યા.
શ્રી નમિકુમારે સહસ્ત્રામવનમાં વાજતે ગાજતે પ્રવેશ કર્યો અને અષાઢ માસની કૃષ્ણ નવમીના દિવસે અશ્વિની નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે પ્રભુએ છઠ્ઠ તપ કરીને એક હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી, તરત જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
બીજે દિવસે વીરપુરમાં દત્ત રાજાને ઘેર આવીને પ્રભુએ ક્ષીરવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org