________________
: શ્રી નમિનાથ સ્વામિ
જબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલી અતિ દૈદિપ્યમાન અને મનોરમ્ય નગરી મિથિલા.
મિથિલા નગરીની શોભા અપૂર્વ હતી. નગરીના લોકો પરમ સુખી અને સંતોષી હતા.
મિથિલા નગરીમાં વિજય નામનો રાજા રાજ કરે. મહારાજ વિજય આરોગ્યનિષ્ઠ ધર્મ પ્રત્યે આસ્થા સેવનારો તેમજ દયાળુ પ્રકૃતિનો હતો. મહારાજા વિજયને વપ્રા નામની પટ્ટરાણી હતી. મહાદેવી વપ્રા સુશીલ, સંસ્કારી અને ગુણી હતી.
મહારાજા વિજય અને પ્રાદેવીનું જીવન સુખમય રીતે પસાર થતું હતું.
એક વખત આશ્વિન માસની પૂર્ણિમાના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવતા સિદ્ધાર્થ રાજાનો જીવ અપરાજિત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને પછી ત્યાંથી અવીને વપ્રાદેવીના ઉદરમાં આવીને અવતર્યો. તે વખતે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ ગયો.
વપ્રાદેવીએ રાત્રીના અંતીમ પ્રહરે તીર્થંકરનાં જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં. પ્રાતઃકાળે વપ્રાદેવીએ સ્વામીને ચૌદ સ્વપ્નની વાત કરી ત્યારે મહારાજા વિજય અતિ આનંદિત બનીને સ્વપ્નનું ફળ જણાવ્યું.
દિવસો પસાર થવા લાગ્યા. જેમ જેમ તે ગર્ભ અનુક્રમે વધવા લાગ્યો તેમ તેમ માતા વપ્રાદેવીને અતિ લાવણ્ય આપનાર તેમજ સુખ આપનાર થયો. ગર્ભ સમય પૂરો થતાં શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીના દિવસે અશ્વિની નક્ષત્રમાં નીલ કમલથી લાંછિત અને સુવર્ણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યો. આસન કંપવાથી છપ્પન દિíમારીઓએ ત્યાં આવીને વપ્રાદેવી અને કુમારનું વિધિપૂર્વક સૂતિકાકર્મ કર્યું. પછી શક્રેન્દ્ર પ્રભુને મેરૂગિરી પર્વતે લઈ ગયા. ત્યાં અય્યતાદિ ચોસઠ ઇન્દ્રોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org