________________
શ્રી મુનિસુવ્રત સ્વામી
૧૬૯
વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. બ્રહ્મદર રાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવી. ત્યારપછી શ્રી મુનિસુવ્રત સ્વામીએ નિઃસંગ, મમતા રહિત તથા સર્વ પરિષહોને સહન કરતાં અગિયાર માસ સુધી વિહાર કર્યો. પાછા ફરીને વિહાર કરતાં નીલગુહા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ચંપકવૃક્ષની નીચે કાઉસગ્ગ દશામાં ઊભા રહ્યાં. ફાલગુન માસની કૃષ્ણ દ્વાદશીના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ઘાતિકર્મનો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈદ્રાદિક દેવાતાઓએ ત્યાં આવીને બસોને ચાલીશ ધનુષ ઊંચા અશોક વૃક્ષવાળું સમોસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરીને, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈને “તીથયિનમઃ' એમ બોલીને પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન પર બિરાજ્યા વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના પ્રતિબિંબો વિકુવ્ય. ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠો. પ્રભુને સમોસમના સમાચાર જાણીને સુવ્રત રાજા પરિવાર સાથે ત્યાં આવ્યા અને શ્રી મુનિસુવ્રત સ્વામીના ચરણમાં નમીને ઈદ્રની પાછળ બેઠા.
અને સુવ્રત રાજા પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરીને ઇન્દ્ર અને સુવ્રત રાજા વિરામ પામ્યા એટલે શ્રી મુનિસુવ્રત સ્વામીએ સર્વ જીવોને બોધ આપવા ધર્મદશના આપવા માંડી.
શ્રી મુનિસુવ્રત સ્વામીએ સંસારનું સ્વરૂપ સમજાવીને ગૃહસ્થ ધર્મની વિશદ વ્યાખ્યા સમજાવી. આત્મ કલ્યાણનો માર્ગ બતાવ્યો.
પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા લીધી. કેટલાક શ્રાવક થયા. શ્રી મુનિસુવ્રત સ્વામીને ઇન્દ્રાદિક અઢાર ગણધરો થયા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે ઇન્દ્ર ગણધરે દેશના આપી. તેઓ દેશનાથી વિરામ પામ્યા પછી ઇન્દ્ર, સુવ્રત રાજા તથા અન્યો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળો, શ્વેતવર્ણ, જટાધારી, વૃષભ પર બેસનારો, ચાર દક્ષિણ ભુજામાં બીજોર, ગદા, બાણ તથા શક્તિ અને ચાર વામ ભુજામાં નકુલ, અક્ષસૂત્ર ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વરૂણ નામે યક્ષ શાસન દેવતા થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org