________________
૧૬૮
ચોવીશ તીર્થંકર
વીશમા અહંતની સ્તુતિ કરીને પ્રભુને લઈને ઈન્દ્ર પાછા પદ્માવતી દેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા.
પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. નગરીના લોકો મહારાજાને વધાઈ આપવા આવવા લાગ્યા. પ્રભુનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. મહારાજા સુમિત્રે દાનશાળા ખોલીને લોકોને દાન આપવા માંડ્યું.
જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે પદ્માવતી દેવી મુનિની જેમ સુવ્રતા (સારા વતવાળા) થયા હતા તેથી પિતાએ તેમનું નામ મુનિસુવ્રત પાડ્યું. ત્રિવિધ જ્ઞાનથી જેમનો આત્મા પવિત્ર છે એવા પ્રભુ લોકોમાં બાળક્રીડાથી અજ્ઞાન નાટ્ય કરતાં અનુક્રમે મોટા થયા. યૌવન વય પ્રાપ્ત થતાં પ્રભુની કાયા વીશ ધનુષની થઈ. પિતાએ તેમને પ્રભાવતી વગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. મુનિસુવ્રત સ્વામીને પ્રભાવતી દેવીથી પૂર્વ દિશામાં ચંદ્રની જેવો સુવ્રત નામનો પુત્ર થયો. સાડા સાત હજાર વર્ષો ગયા પછી પ્રભુએ પિતાએ આરોપણ કરેલા રાજ્યનો કારભાર સંભાળ્યો. રાજયનો કારભાર પ્રભુએ પંદર હજાર વર્ષ સુધી સંભાળ્યો.
એક દિવસ પ્રભુને જાણવામાં આવ્યું કે હવે ભોગ્ય કર્મનો ક્ષય થયો છે તેવામાં લોકાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “સ્વામી, તીર્થ પ્રવતવો.” એટલે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડ્યું ત્યાર પછી પોતાના પુત્ર સુવ્રતને રાજગાદીનો ભાર સોંપ્યો.
ત્યાર પછી દેવતાઓએ તથા સુવતરાજાએ જેમનો નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા શ્રી મુનિસુવ્રત સ્વામી એક સહસ્ત્ર પુરુષોએ વહન કરવા યોગ્ય એવી અપરાજિતા નામની શિબિકા ઉપર આરૂઢ થયા અને નીલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા. ફાગુન માસની શુકલ દ્વાદશીએ શ્રેણવ નક્ષત્રમાં પાછલા પહોરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપનું આરાધન કરીને પ્રવજ્યા ગ્રહણ કરી, દીક્ષા ગ્રહણ કરતાંની સાથે જ પ્રભુને ચોથું મનપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
બીજે દિવસે રાજગૃહી નગરીમાં બ્રહ્મદર રાજાને ત્યાં શ્રી મુનિસુવ્રત સ્વામીએ ક્ષીરાન્ત વડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org