________________
૨૦
: શ્રી મુનિસુવ્રત સ્વામી
રાજગૃહી નગરી. સુરમ્ય અને મનોહર નગરી.
નગરીની પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. પરગામના લોકો નગરીના દર્શનાર્થે તેમજ હટાણું કરવા આવતા રહેતા.
રાજગૃહી નગરમાં સુમિત્ર નામનો રાજા રાજ કરે.
રાજા સુમિત્ર ન્યાયી, પરાક્રમી અને ધર્મ પ્રત્યે આસ્થા ધરાવનારો હતો. મહારાજા સુમિત્રને પદ્માવતી નામની અતિ સુંદર રાણી હતી.
રાજા સુમિત્ર અને રાણી પદ્માવતીના દિવસો સુખેથી નિર્ગમન થતાં હતાં.
અહીં પ્રાણતકલ્પમાં સુરશ્રેષ્ઠ રાજાનો જીવ જે દેવતા થયો હતો, તેણે સુખસાગરમાં મગ્નપણે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી અવીને સુરશ્રેષ્ઠ રાજાનો જીવ પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો.
તે સમયે સુખે સૂતેલી રાણી પદ્માવતી દેવીએ રાણીના અંતિમ પ્રહરે તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો જોયાં. બીજે દિવસે રાજા સુમિત્રે રાણીને જણાવ્યું કે ચક્રવર્તી અને તીર્થંકર પુત્રનો જન્મ થશે. નગરીમાં આ સમાચારથી ખુશાલી વ્યાપી ગઈ.
દિવસો જવા લાગ્યા અને પૂરા દિવસે જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રવણ નક્ષત્રના યોગમાં રાણી પદ્માવતીએ કૂર્મના લાંછનવાળા અને તમાલના જેવા શ્યામ કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. પ૬ દિકુમારીઓએ આવીને ભક્તિથી માતા તથા પ્રભુનું સૂતિકાકર્મ કર્યું. ત્યાર પછી ઇન્દ્ર આવીને વશમાં તીર્થકરને મેરૂ પર્વત પર લઈ ગયા. પ્રથમ શક્ર ઈન્દ્રના ઉસંગમાં બેઠેલા પ્રભુને ત્રેસઠ ઈન્દ્રોએ પવિત્ર તીર્થજળ વડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનેંદ્રના ઉલ્લંગમાં બેસાડીને સ્નાત્ર પૂજાદિ કરીને શક્રેન્દ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org