________________
૧૬૬
ચોવીશ તીર્થંકર
મન:પર્યવજ્ઞાની, બે હજાર અને બસો કેવળજ્ઞાનીઓ, એક લાખ ને વ્યાંશી હજાર શ્રાવકો તથા ત્રણ લાખ ને સીત્તેર હજાર શ્રાવિકાઓ હતા. આ વિશાળ પરિવાર એકસો વર્ષ ઉણા પંચાવન હજાર વર્ષ સુધી વિહાર કરતાં શ્રી મલ્લીનાથ પ્રભુને થયો.
શ્રી મલ્લીનાથ પ્રભુએ નિવણ સમય નજીક આવેલો જાણીને સમેત શિખરે જઈ પાંચસો સાધુઓ અને પાંચસો સાધ્વીઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે ફાગુન માસની શુદ્ધ દ્વાદશીના દિવસે પામ્ય નક્ષત્રમાં મલ્લીનાથ પ્રભુએ તે સર્વ સાધુ અને સાધ્વીઓની સાથે નિર્વાણપદ પ્રાપ્ત કર્યું.
શ્રી મલ્લીનાથ પ્રભુએ કૌમારવસ્થામાં અને વ્રત પયયિમાં મળીને પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું હતું.
- શ્રી અરનાથ સ્વામીના નિવસિ પછી કોટી હજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલ્લી પ્રભુનો નિવણિકાળ થયો હતો. મલ્લીનાથ પ્રભુ નિર્વાણ પામ્યા પછી ઇન્દ્રો તથા દેવતાઓને આવીને શ્રી મલ્લીનાથ પ્રભુનો યથાવિધિ નિવણ મહોત્સવ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org