________________
ચોવીશ તીર્થંકર
તેઓ કહેવા લાગ્યા : ‘હવે અમને યાદ આવ્યું કે પૂર્વ ભવે આપણે સાતેય મિત્રો સંકેત કરી એકઠા રહીને તપ કરતા હતા. પ્રભુ, આપે અમને બચાવી લીધા. અમારે હવે શું કરવું ? માર્ગ બતાવો. કારણ કે આપ અમારા ગુરુ છો.’
મલ્લીકુમારીએ કહ્યું : સમય આવે ત્યારે પ્રવજ્યા અંગીકાર
કરો.’
મલ્લીકુમારીએ બધા રાજાઓને પોતપોતાના સ્થાને વિદાય
કર્યા.
તે અવસરે લોકાંતિક દેવાતાઓએ આવીને મલ્લીનાથને કહ્યું : ‘તીર્થ પવર્તાવો.’ તે સાંભળી પ્રભુએ સ્તંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યથી વાર્ષિક દાન આપવા માંડ્યું. જન્મથી સો વર્ષ પૂર્ણ થયા ત્યારે પચીસ ધનુષ ઊંચી. જેની કાયા છે એવા મલ્લીકુમારીનો કુંભરાજાએ તથા ઇન્દ્રાદિક દેવતાઓએ નિષ્ક્રમણોત્સવ કર્યો. ત્યાર પછી જયંતી નામની શિબિકા પર આરૂઢ મલ્લી પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં
આવ્યા.
૧૬૪
શ્રી મલ્લીનાથ સ્વામીએ એક હજાર પુરુષો અને ત્રણસો સ્ત્રીઓના પરિવાર સાથે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીના દિવસે. ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતા પ્રાતઃકાળે દીક્ષા અંગીકાર કરી. તે વખતે પ્રભુને મનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેજ દિવસે અશોક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થયું.
એ સમયે ઇન્દ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને સમોસરણની રચના કરી. સમોસરણ ત્રણસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષથી શોભતું હતું. તેમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી તીર્થાય નમઃ’ એમ બોલી મલ્લી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. તરત જ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં તેમના રૂપ વિકુર્યા. દેવ, માનવ, તિર્યંચ વગેરે સૌ યથાસ્થાને બેઠા.
કુંભ રાજા અને પેલા છયે રાજાઓ પણ ત્યાં આવીને ઈન્દ્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org