________________
શ્રી મલ્લીનાથ સ્વામી
ત્યારે મલ્લીકુમારીએ કહ્યું : “પિતાજી, આપ ગુપ્તચરોને મોકલીને છયે રાજાઓને જણાવી દો કે હું તમને મલ્લીકુમારી આપીશ. આ રીતે છયે રાજાઓને સમજાવો. ત્યાર પછી મારી પ્રતિમા જ્યાં રાખેલી છે તેની આગળના યે ખંડમાં તેઓને સાયંકાળે શ્વેત વસ્ત્ર ધારણ કરાવીને ગુપ્ત રીતે જુદા જુદા લાવો...'
કુંભરાજાએ પુત્રીના કહ્યાં મુજબ કર્યું.
છયે રાજાઓ હાજર થયા. પછી પેલા કમાડની જાળીમાંથી સર્વેએ મલ્લીકુમારીની પ્રતિમા જોઈ.
છયે રાજાઓ મનોમન બોલી ઊઠ્યા : ‘અહો, પુણ્યયોગે સુંદર નેત્રોવાળી અનિદ્ય રૂપ સુંદરી મલ્લીકુમારીને પ્રાપ્ત કરી.’
પછી સર્વે મલ્લીકુમારીના સૌંદર્યમાં લીન બની ગયા.
એવામાં પ્રતિમાની પછવાડે જે દ્વાર કરાવ્યું હતું ત્યાંથી મલ્લીકુમારીએ ગુપ્ત રીતે પ્રવેશ કર્યો અને પ્રતિમાની પાછળ સંતાઈને તાળવાને ઢંકાઈને રહેલું કમળ હતું તે પાડી નાખ્યું. તરત જ તેમાંથી કોહવાઈ ગયેલા આહારની દુર્ગંધ મારવા લાગી. છયે રાજાઓથી આ દુર્ગંધ સહન ન થઈ. સર્વે રાજાઓ હાંફળાફાંફળા થવા લાગ્યા.
ત્યારે મલ્લીકુમારીએ કહ્યું : 'તમે સૌએ મોટું કેમ ફેરવી લીધું
છે?’
ત્યારે રાજાઓ બોલ્યા : “અમે આ દુર્ગંધને સહન કરી શકતા
તરત જ મલ્લીકુમારી સ્વયં પ્રગટ થઈ અને શરીર હાડમાંસથી રચાયેલું છે. તે વાત જણાવીને છયે રાજાઓને ક્ષણભંગુર શરીરનો બોધ આપ્યો.
નથી...’
મલ્લીકુમારીએ કહ્યું : “આજથી ત્રીજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ આરાધના કરી હતી. તે કેમ સંભારતા નથી ?'
૧૬૩
મલ્લીકુમારીના શબ્દોની ધારી અસર થઈ. છયે રાજાઓને જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. છયે રાજાઓ પ્રતિબોધ પામી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org