________________
શ્રી મલ્લીનાથ સ્વામી
૧૬૧
તીર્થના અભિષેકથી થયેલો ધર્મ, સ્વર્ગ અને મોક્ષનો હેતુ છે. એ અમારું તત્વવચન છે.” આ પ્રમાણે બોલીને લોકોને ધર્મમાં શ્રદ્ધા બેસે તેવા પ્રયત્નો કરતી. એક વાર ભ્રમણ કરતાં કરતાં તે કુંભ રાજાના ભવન પાસે આવી અને જ્યાં મલ્લીકુમારીનો નિવાસ હતો ત્યાં આવીને આસન પાથરીને જમાવ્યું.
ચોક્ષા પબ્રિાજિકા મલ્લીકુમારીને ધમપદેશ આપવા લાગી.
ત્યારે ત્રણ જ્ઞાન ધરનારા મલ્લીકુમારીએ કહ્યું : “જેટલા દાન છે તે બધા ધર્મને માટે નથી, જો બધા દાન ધર્મ માટે થતા હોય તો બિલાડા અને કુતરાનું પોષણ પણ ધર્મને માટે થાય. જેમાં જીવહિંસા રહેલી હોય તેવા તીથભિષેકથી પવિત્રતા શી રીતે થાય? માટે વિવેક તે મૂળ ધર્મ છે, તે અવિવેકીને થતો નથી. તેવા પુરુષને તપસ્યા પણ કેવળ કલેશને માટે થાય છે. તેમાં કોઈ સંશય નથી.”
મલ્લીકુમારીના શબ્દોથી પરિવાજિકા મૌન થઈને બેસી રહી. કારણ કે પ્રભુના વચનને બાધિત કરવા માટે કોણ સમર્થ થાય?
તરત જ મલ્લીકુમારીની દાસીઓએ પરિવાધિકાને ભવનની બહાર મોકલી દીધી. આવું થવાથી ચોક્ષા પબ્રિાજિકાને પોતાનું અપમાન લાગ્યું. અપમાનનો બદલો લેવા તે ફરતી ફરતી કાંડિલ્યપુર આવી અને ત્યાંના રાજાને મલ્લીકુમારીના રૂપસૌંદર્યની બેશુમાર પ્રશંસા કરી.
તે સાંભળતાં જ પૂર્વના સ્નેહને લીધે જિતશત્રુ રાજાએ મલ્લીકુમારીની માંગણી અર્થે એક દૂતને કુંભ રાજા પાસે મોકલ્યો.
આ તરફ મલ્લીકુમારીએ પોતાના પૂર્વ જન્મના છ મિત્ર રાજાઓને અશોકવાડીમાં બોધ થવાનો છે એવું અવધિજ્ઞાન વડે જાણીને તે અશોકવાડીમાં આવેલા સુંદર, મનોરમ્ય મહેલના એક ખંડમાં બરાબર મધ્ય જગ્યાએ મનોહર રત્નપીઠ રચીને તેના ઉપર પોતાની એક સુવર્ણ પ્રતિમા રચીને સ્થાપના કરી. એ પ્રતિમાના પધરાગ
ચો. તી. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org