________________
ચોવીશ તીર્થંકર
હતી. તે ચિત્રશાળામાં એક ચિત્રકાર ઘણો ચતુર હતો. તેમજ તેની પાસે એવા પ્રકારની લબ્ધિ હતી કે જો કોઈ પણ અંગ જોવામાં આવે તો તે પરથી આખું ચિત્ર દોરી શકતો. એક વખત પડદામાંથી મલ્લીકુમારીના પગનો અંગુઠો તેના જોવામાં આવ્યો અને ચિત્રકારે મલ્લીકુમારીનું રૂપ જાણીને ચિત્ર બનાવ્યું અને ચિત્રશાળામાં મૂક્યું.
૧૬૦
એક વાર મલ્લકુમાર તે ચિત્રશાળામાં ક્રીડા કરવા માટે ગયો. અને તેમાં મૂકાયેલાં ચિત્રો નિહાળવા લાગ્યો ત્યાં તેની ષ્ટિ મલ્લીકુમારીના ચિત્ર પર ગઈ અને થયું કે આ તો સાક્ષાત મલ્લીકુમારી છે. મલ્લકુમાર મનમાં ક્ષોભ પામ્યો અને પાછો રાજભવનમાં આવ્યો માતાએ પાછા આવવાનું કારણ પૂછ્યું ત્યારે મલ્લકુમારે કહ્યું : માતાજી, ચિત્રશાળામાં મલ્લીકુમારી હોવાથી હું પાછો ફર્યો છું.'
ત્યારે માતાએ કહ્યું : ‘કુમાર, ચિત્રશાળામાં રહેલી મલ્લીકુમારી સાક્ષાત નથી પરંતુ ચિત્રમાં અંકિત છે.’
આ જાણીને મલ્લકુમારને ક્રોધ ચડ્યો અને પેલા ચિત્રકારને બોલાવીને તેનો દક્ષિણ હસ્ત છેદી નાખ્યો અને નગરી બહાર કાઢી મૂક્યો. ચિત્રકારે હસ્તિનાપુરના જઈને અદીનશત્રુ રાજાને બધી વાત કરી અને પછી મલ્લીકુમારીનું વર્ણન કરવા માંડ્યું.
મલ્લી કુમારીના રૂપસૌંદર્યની ગાથા સાંભળીને પૂર્વ સ્નેહથી ઉત્કંઠિત થયેલા રાજા અદીનશત્રુએ તેની યાચના માટે એક દૂતને કુંભરાજા પાસે મોકલ્યો.
અભિચંદ્રનો જીવ પણ વૈજ્યંત વિમાનથી ચ્યવીને કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા થયો હતો. જિતશત્રુ રાજાને ધારણી સહિત એક હજાર રાણીઓ હતી.
અહીં મિથિલા નગરીમાં ચોક્ષા નામની એક વિચક્ષણ પરિવાજિકા હતી. ચોક્ષા પરિવ્રાજિકા રાજાના ભવનના દ્વારે તથા ધનાઢ્ય પુરુષોના દ્વારે જતી અને મધુર સ્વરે કહેતી : “દાન કરવાથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org