________________
શ્રી મલ્લીનાથ સ્વામી
કુંભરાજાની પુત્રી મલ્લીકુમારીનો સ્નાનવિવિધ અદ્ભુત હતો તેવું મારા જાણવામાં આવ્યું હતું. તે રાજકુમારીનું સ્વરૂપ નિરૂપમ છે. મલ્લીકુમારી જેવી સુંદર, સર્વોત્તમ અને શ્રેષ્ઠ નારીરત્ન પૃથ્વી પર હશે કે કેમ...તે એક પ્રશ્નાર્થ છે.’
સેવકની વાત સાંભળીને રાજાને મલ્લીકુમારી ઉપર અનુરાગ થયો. મલ્લીકુમારીની માગણી કરવા માટે રાજા રૂકમીએ એક દૂતને કુંભરાજા પાસે મોકલ્યો.
૧૫૯
જ્યારે વસ્તુનો જીવ વૈજયંત વિમાનથી ચ્યવીને વારાણસી પુરીમાં શંખ નામે રાજા થયો.
એક વખતે અર્હનયે આપેલું મલ્લીકુમારીનું દિવ્ય કુંડલ ભાંગી ગયું. તેથી તેને સુધારવા માટે રાજાએ સુવર્ણકારોને બોલાવીને કુંડલ સરખા કરી આપવાની આજ્ઞા કરી.
કુંડલો જોઇને સુવર્ણકારો બોલ્યા : ‘ દવે, અમે આવું દિવ્ય કુંડલ સરખું કરી આપવા માટે સમર્થ નથી.
સુવર્ણકારોનો ઉત્તર સાંભળી કુંભ રાજા ક્રોધિત થયા અને તે સુવર્ણકારોને નગરી બહાર કાઢી મૂક્યા.
સુવર્ણકારો ફરતાં ફરતાં વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાંના રાજા શંખના દરબારમાં ગયા અને પોતાને હડધૂત કર્યાનો વૃતાંત શંખરાજાને કહી સંભળાવ્યો, ત્યારે સુવર્ણકારોએ કુંડળ અને મલ્લીકુમારીના અનિદ્યરૂપ લાવણ્યનું વર્ણન કર્યું. મલ્લીકુમારીના રૂપની વિગતો જાણીને પૂર્વના સ્નેહાનુંબંધ વડે શંખરાજાએ મલ્લીકુમારીની યાચના કરવા માટે એક દૂતને કુંભરાજા પાસે મોકલ્યો.
વૈશ્રવણનો જીવ પણ વૈજયંત વિમાનથી આવીને અદીનશત્રુ નામે હસ્તિનાપુરમાં રાજા થયો હતો. અહીં મલ્લીકુમારીનો મલ્લકુમાર નામનો એક ભાઈ હતો. તેણે કુતૂહલથી ચિત્રકારો પાસે એક વિચિત્ર ચિત્રશાળા કરાવવા માંડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org