________________
ચોવીશ તીર્થંકર
મિથિલાનગરીએ માલ લઈને આવ્યો. અર્હનય શ્રાવકે દિવ્યકુંડલની એક જોડી કુંભરાજાને ભેટમાં આપી. રાજાએ તે કુંડલની જોડી પોતાની પુત્રી મલ્લીને આપી. અર્હનય શ્રાવક થોડા દિવસો મિથિલાનગરીમાં પસાર કરીને વિદાય થયો અને ફરતો ફરતો ચંપાપુરીમાં આવ્યો.અર્હનય શ્રાવકે બીજી દિવ્ય કુંડલની જોડી ચંપાનગરીના રાજા ચંદ્રછાયને ભેટમાં આપી.
૧૫૮
ત્યારે રાજા ચંદ્રછાયે અર્હનય શ્રાવકને પૂછ્યું : હે શ્રેષ્ઠી વર્ષ, આ સુંદર કુંડલની જોડી ક્યાંથી લાવ્યા છો ?'
અર્જુન્નય શ્રાવકે કુંડલ સંબંધિત બધી વાત રાજાને કરી. પહેલી જોડી મલ્લીકુમારીને આપી, મલ્લીકુમારીની વાત નિકળતાં અર્હનય શ્રાવક ભાવુક થઈ ગયો અને રાજાને મલ્લીકુમારી વિષે કહેવા લાગ્યો : “રાજન, મલ્ટીકુમારીની આભાની શી વાત કરવી ? ચંદ્ર પણ તેના રૂપ લાવણ્ય પાસે ઝાંખો લાગે.’
અર્હનય શ્રાવકે મલ્લીકુમારીના સૌંદર્યની બેશુમાર પ્રશંસા કરી. આ સાંભળીને ચંદ્રછાય રાજાએ પૂર્વ જન્મના સ્નેહયોગથી મલ્લીકુમારી સાથે વિવાહ યોજાય તે કામના સાથે એક દૂતને કુંભ રાજા પાસે રવાના કર્યો.
હવે પુરણનો જીવ વૈજ્યંત વિમાનમાંથી આવીને શ્રાવસ્તી નગરીમાં રૂકમી નામનો રાજા થયો. રૂકમી રાજાને ધારિણી નામની પત્ની હતી અને સુબાહુ નામની એક અતિ સુંદર કન્યા હતી. રાજા રૂકમીને તે અતિ વ્હાલી હતી. નાનકડી સુબાહુની સ્નાનવિધિ અપૂર્વ અને અદ્ભુત હતી. એક વાર સ્નાન કરીને દિવ્ય અલંકારો ધારણ કરીને સુબાહુ મહારાજા રૂકમી પાસે આવી અને પિતાના ઉત્સંગમાં બેસી ગઈ. ત્યારે ત્યાં ઊભેલા એક સેવકને રાજાએ પૂછ્યું : ‘આ કન્યાના જેવો સ્નાનવિધિ તે કોઈ ઠેકાણે જોયો છે ?’
ત્યારે તે સેવકે મહારાજાની સામે જોઈને કહ્યું : ‘કૃપાનાથ, આપની આજ્ઞાથી એક વાર હુ મિથિલાનગરીમાં ગયો હતો. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org