________________
શ્રી મલ્લીનાથ સ્વામી
રાજકન્યા મલ્લી એક વાર જેણે જોઈ હોય તે ભૂલી જતો નથી. મનુષ્યો અને દેવતાઓમાં મલ્લીકુમારી જેવી કોઈ નારી નથી. તેનું અદ્રેતરૂપ
વાણીથી પણ અગોચર છે.
મંત્રીની વાત સાંભળીને પૂર્વજન્મના અનુરાગથી પ્રતિબુદ્ધિ રાજાએ તેને વરવા માટે કુંભ રાજાની પાસે એક દૂત મોકલ્યો.
૧૫૭
તે અરસામાં ધરણનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી આવીને ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થયો. ચંપાપુરી નગરીમાં અર્હન્નય નામનો શ્રાવક રહેતો હતો એક વાર તે વેપાર કરવા માટે વહાણમાં બેસીને સમુદ્રયાત્રા પર નીકળ્યો. તે વખતે ઇન્દ્રે દેવસભામાં એવી પ્રશંસા કરી કે અર્હનયના જેવો કોઈ દઢ શ્રાવક નથી. ઇન્દ્રની વાત સાંભળીને ઈષિવાન થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવીને ક્ષણવારમાં મેઘાડંબર સાથે પવનનો ઉત્પાત સર્જ્યો. વહાણ ડૂબવાના ભયથી તેમાં બેઠેલા વેપારીઓ પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા.
ત્યારે એ સમયે અર્જુન્નયે સમાધિ અવસ્થા ધારણ કરીને પચ્ચખાણ કર્યું કે જો આ સંકટમાં મારું મૃત્યુ થાય તો હવે મારે અનશન વ્રત (ચારેય આહારનો ત્યાગ ) છે.
તે વખતે પેલા દેવે રાક્ષસનું રૂપ ધારણ કરીને, આકાશમાં રહીને ગર્જના કરી : હે ‘અર્જુન્નય ! તું તારો ધર્મ છોડી દે અને મારું વચન માન જો તું મારું કહ્યું નહિ માને, તો આ વહાણ નષ્ટ કરીને તારા પરિવારને નષ્ટ કરી દઈશ.
દેવતાએ ઉગ્ર ભાષામાં કહ્યું હોવા છતાં અર્જુન્નય જરાય ચલિત થયો નહિ. ત્યારે દેવે એની ક્ષમા માગી અને દેવલોકમાં ઇન્દ્રે કરેલી પ્રશંસા કહી સંભળાવી.
દેવતાએ તે શ્રાવક અર્હન્નયને બે મનોહર દિવ્ય કુંડલની જોડી આપી. દેવતાએ પછી તરત જ પોતાની માયા સંકેલી લીધી. દેવતા તરત જ અંતર્હિત થઈ ગયો.
ત્યારબાદ
અર્હનય
શ્રાવક સમુદ્રનો પ્રવાસ ખેડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org