________________
ચોવીશ તીર્થંકર
પછી તેમનું અર્ચન કરી, આરતી ઉતારીને શક્રઇન્દ્રે ભક્તિથી સભર સ્તુતિ કરી.
૧૫૬
સ્તુતિ કરીને ઇન્દ્ર ઓગણીશમા અહંતને પાછા મિથિલાપુરીમાં લઈ જઈને માતાની પાસે મૂક્યા.
જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પ માલ્ય પર શયન કરવાનો દોહદ થયો હતો તેથી પિતાએ તેમનું નામ મલ્લી એવું પાડ્યું. ઇન્દ્રે મોકલેલી પાંચ ધાત્રીઓએ પ્રતિદિન પુષ્પની પેઠે લાલન કરતાં મલ્લીકુમારી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યાં.
અચલરાયનો જીવ વૈજયંત વિમાનમાંથી આવીને ભરતક્ષેત્રના સાકેતપુર નામના નગરમાં પ્રતિબુદ્ધિ નામનો રાજા થયો. એમને પદ્માવતી નામની રાણી હતી. સાકેતપુર નગરના ઈશાન ખૂણામાં નાગદેવનું મંદિર આવેલું હતું. નગરીના લોકો નાગદેવના દર્શનાર્થે નિયમિત જતા હતા. એક વાર રાણી પદ્માવતીએ નાગદેવના મંદિરે જવા માટે પ્રતિબુદ્ધિ રાજા પાસે આજ્ઞા માગી ત્યારે રાજા પોતે પણ ત્યાં આવવા સહમત થયો. અને એક દિવસ પદ્માવતી રાણીની સાથે રાજા પણ પુષ્પાદિ સામગ્રી લઈને નાગદેવના મંદિરે આવ્યો. પુષ્પનો મંડપ પુષ્પનો મુદ્ગર અને પોતાની પ્રિયાને જોઈને રાજાએ સ્વબુદ્ધિ નામના મંત્રીને પૂછ્યું : ‘મંત્રીવર, તમે અનેક રાજાઓના મંદિરમાં ગયા છો. તો તેમાં કોઈ પણ જગ્યાએ આવું સ્ત્રીરત્ન, કે આવો પુષ્પનો મુદ્ગર તમારા જોવામાં આવ્યો છે ?'
રાજા પ્રતિબુદ્ધિના પ્રશ્નનો મંત્રી સ્વબુદ્ધિએ ઉત્તર વાળ્યો : ‘રાજન, આપની આજ્ઞાથી એક વાર હું કુંભ રાજાની પાસે ગયો હતો. ત્યાં રાજા કુંભની મલ્લી નામે એક કન્યા જોવામાં આવી હતી. સ્ત્રીરત્નમાં મુખ્ય એવી તે રાજકન્યાની આયુષ્ય ગ્રંથિમાં એવો પુષ્પમુગર કરવામાં આવ્યો હતો કે તેવો સ્વર્ગમાં પણ અસંભવિત છે. તેના સ્વરૂપની સામે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન, કામદેવની પત્ની રતિ અને ઇન્દ્રાણી પ્રમુખ દેવસ્ત્રીઓ તે સર્વ તૃણતુલ્ય છે. એ મહારાજા કુંભની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org