________________
શ્રી મલ્લીનાથ સ્વામી
અનુત્તર વિમાનમાં દેવતા થયા.
હતો.
મિથિલા નગરી.
સુંદર અને દૈદિપ્યમાન નગરી.
આ નગરીમાં કુંભ નામનો રાજા રાજ કરે.
રાજા કુંભ ગુણી, ધાર્મિકવૃત્તિ ધરાવતો અને દયાળુ રાજવી
૧૫૫
મહારાજા કુંભને પ્રભાવતી નામની રાણી હતી.
રાણી પ્રભાવતી સુશીલ, સંસ્કારી અને શીલવંતી નારી હતી. મહારાજા કુંભ રાણી પ્રભાવતીની સાથે સુખેથી દિવસો પસાર
કરતા હતા.
એક વખતે રાજા મહાબલનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને વૈજયંત વિમાનમાંથી અવીને ફાગણ શુકલ ચતુર્થીના દિવસે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતા મહારાણી પ્રભાવતીની કુક્ષીમાં પ્રવેશ્યો ત્યારે રાણી પ્રભાવતીએ તીર્થંકરને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા.
મહાબલ રાજાનો જીવ પ્રભાવતી રાણીના ગર્ભમાં આવ્યા પછી ત્રીજા માસે દેવી પ્રભાવતીને માલ્ય (પુષ્પ)ની શય્યામાં સૂવાનો દોહદ ઉત્પન્ન થયો. દેવતાઓએ તે દોહદ પૂર્ણ કર્યો.
પછી પૂર્ણ સમયે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીના દિવસે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં પૂર્વ જન્મમાં માયાવડે સ્ત્રીવેદકર્મ બાંધેલું હોવાથી કુંભના લાંછનવાળા નીલકાંતિને ધરનારા અને સર્વ શુભલક્ષણવાળા ઓગણીશમાં આશ્ચર્યકારી તીર્થંકરરૂપ એક કન્યાને પ્રભાવતી રાણીએ જન્મ આપ્યો.
છપ્પન દિકુમારીઓએ ત્યાં આવીને તેનું સૂતિકા કર્મ કર્યું અને ઇન્દ્રોએ મેરૂફિંગર પર લઈ જઈને તેમને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org