________________
૧૫૪
ચોવીશ તીર્થંકર
- 0•ક
તમે લોકો શું ભાવના સેવો છો ?
મહાબલ રાજાના છયે મિત્રોએ એક સૂરમાં જણાવ્યું ? મિત્ર, આપણે એક સાથે રહીને સંસારસુખ ભોગવ્યું. તે રીતે એક સાથે રહીને મોક્ષ સુખ પણ ભોગવીશું.”
એમ જ થયું.
મહાબલ રાજાએ પોતાના પુત્ર બલભદ્રને રાજ સિંહાસન પર બેસાડ્યો. જ્યારે મહાબલ રાજાના છ મિત્ર રાજાઓએ એમના પુત્રોને રાજગાદી સોંપી દીધી.
મહાબલ તથા છ મિત્રોએ વરધર્મ નામના મુનિરાજ પાસે દિક્ષા અંગીકાર કરી.
સાતેય મિત્રોએ સંસાર ત્યાગ કરીને આત્મ કલ્યાણની આરાધનામાં ગુંથાઈ ગયા.
સાતેય મુનિરાજાએ નક્કી કર્યું હતું કે આપણામાંથી જો એક તપસ્યા કરે તે પ્રમાણે બધાએ કરવી.
સાતેય મુનિરાજો ઉક— ભાવના સેવીને આત્મ જાગૃતિની આરાધનામાં લીન બની ગયા.
સાતેય મુનિઓમાં મહાબલ મુનિ સર્વથી પોતાને અધિક ફળ મળે તેવી ઇચ્છાથી “આજ મારું મસ્તક દુઃખે છે. આજે મને બેચેની લાગે છે. આજે ક્ષુધા લાગી નથી.આવાં કારણો બતાવીને પારણાના દિવસે આહાર કરતા નહિ. અને તે રીતે કપટથી તેઓ છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરતા હતા.
આ રીતે મહાબલ મુનિએ માયામિશ્ર તપ કરતાં સ્ત્રીવેદ અને અહંત ભક્તિ પ્રમુખ સ્થાનકોને આરાધવા વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન
ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા તે સાતેય મિત્ર મુનિવરોએ ચોરાશી હજાર વર્ષ સુધી વ્રત પાળીને આયુષ્યનો ક્ષય થતાં બે પ્રકારની સંખના કરી. અનશન વ્રત લઈ કાળધર્મ પામીને વૈજયંત નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org