________________
૧૯
: શ્રી મલ્લીનાથ સ્વામી
વીતશોકા નામની નગરી.
આ નગરીમાં બલ નામનો રાજા રાજ કરે.
બલરાજાને ધારણી નામની પટ્ટરાણી.
ધારણી રાણીને કેશરીસિંહના સ્વપ્નથી સુચિત મહાબલ નામનો પરાક્રમી પુત્ર થયો.
સમય પસાર થતા મહાબલ રાજકુમાર કમલશ્રી વગેરે પાંચસો રાજકન્યાઓ સાથે એક દિવસ પરણ્યો.
મહાબલકુમારને અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ તથા અભિચંદ્ર નામના છ રાજાઓ બાળપણના મિત્રો હતા.
એક દિવસ તે નગરીની બહાર ઈશાન દિશામાં આવેલા ઇંદ્રકુબ્જ નામના ઉદ્યાનમાં કેટલાક મુનિવરો આવ્યા.
બલરાજા તે મુનિવરો પાસે ગયા. ત્યાં ધર્મ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને રાજનો કારભાર પુત્ર મહાબલને સોંપીને તે રાજાએ વૈરાગ્ય અંગીકાર કર્યું. થોડા સમયમાં બલરાજાને મોક્ષપદની પ્રાપ્તિ થઈ.
મહાબલકુમારને કમલશ્રી નામની પટ્ટરાણીથી સિંહના સ્વપ્ન વડે સૂચિત બલભદ્ર નામનો એક પુત્ર ગયો. સમય જતાં બલભદ્રે યૌવનવયમાં પ્રવેશ કર્યો. મહાબલ રાજાએ બલભદ્રને યુવરાજની પદવી. આપી.
જ્યારે મહાબલ રાજા તેના છ મિત્રોની સાથે રહીને આર્હત ધર્મને સાંભળવા લાગ્યો.
એક દિવસ મહાબલ રાજાએ પોતાના મિત્રો સમક્ષ અંતરની ઇચ્છા પ્રગટ કરતાં કહ્યું : “મિત્રો, હું આ સંસારથી ભય પામ્યો છું. મારી ભાવના પ્રવજ્યા ગ્રહણ કરીને આત્મ કલ્યાણ કરવાની છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International