________________
૧૫૨
અનશન વ્રત ગ્રહણ કર્યું.
એક માસના અંતે માર્ગશીર્ષ માસની શુદ દશમીના દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં તે મુનિવરોની સાથે શ્રી અરનાથ સ્વામી મોક્ષપદને પામ્યા.
ચોવીશ તીર્થંકર
શ્રી અરનાથ સ્વામીએ કૌમારપણામાં, માંડલિકપણામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં સરખે ભાગે ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.
શ્રી કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા પછી કોટી હજાર વર્ષ ઉણે પલ્યોપમનો ચોથો અંશ ગયો ત્યારે શ્રી અરનાથ પ્રભુ મોક્ષે ગયા. હજાર મુનિઓની સાથે શ્રી અરનાથ પ્રભુને મોક્ષ પામેલા જાણીને ઇન્દ્રોએ ત્યાં આવીને ભક્તિ વડે શરીર સંસ્કારપૂર્વક તેમનો નિર્વાણ મહોત્સવ કર્યો. ★★
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org