________________
શ્રી અરનાથ સ્વામી
૧૫૧
સ્થાનકે ગયા.
શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો શ્યામવર્ણી, શંખના વાહન પર બેસનારો, છ દક્ષિણ ભુજાઓમાં બિજોરું, બાણ, ખગ, મુદ્ગર, પાશ અને અભય તથા છ વામ ભુજાઓમાં નકુલ, ધનુષ્ય, ઢાલ, શૂળ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારો પમુખ નામનો યક્ષ શાસન દેવતા થયો.
જ્યારે શ્રી અરનાથ સ્વામીના તીર્થમાં નીલવર્ણવાળી, કમળ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બિજોરું અને કમળ તથા બે વામભુજામાં પા અને અક્ષસૂત્ર ધરનારી ધારિણી નામની શાસન દેવી થઈ.
આ બંને શાસનદેવતા-દેવી નિરંતર શ્રી અરનાથ સ્વામીની સમીપ જ રહેતા હતા.
એ શાસનદેવતાઓથી અધિષ્ઠિત શ્રી અરનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
શ્રી અરનાથ સ્વામીના પરિવારમાં પચાસ હજાર સાધુ મહાત્માઓ, સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીઓ, છસો ને દશ ચૌદ પૂર્વધારીઓ, બે હજાર ને છસો અવધિજ્ઞાની, પચીસોને એકાવન મન:પર્યવજ્ઞાની, બે હજાર ને આઠસો કેવળજ્ઞાનીઓ, સાત હજાર ને ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, એક હજાર ને છસો વાદ લબ્ધિવાળા, એક લાખને ચોરાશી હજાર શ્રાવકો તથા ત્રણ લાખને બોંતેર હજાર શ્રાવિકાઓ હતી.
શ્રી અરનાથ સ્વામીનો આટલો પરિવાર કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા એકવીશ હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં થયો હતો.
પોતાનો નિવણ સમય નજીક જાણીને શ્રી અરનાથ સ્વામી સમેતશિખરે પધાયાં.
શ્રી અરનાથ સ્વામીએ ત્યાં એક હજાર મુનિરાજોની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org