________________
ચોવીશ તીર્થંકર
એક દિવસ શ્રી. અરનાથ સ્વામી ફરી પાછા તેજ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા અને આમ્ર વૃક્ષની નીચે ઊભા રહ્યા. ત્યાં કારતક માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં પ્રભુને ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ ત્યાં આવીને તત્કાળ સમોસરણની રચના કરી. સમવસરણમાં શ્રી અરનાથ સ્વામીએ પૂર્વ દ્વારેથી પ્રવેશ કર્યો અને ત્રણસો અને સાઠ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને તીથિય નમઃ એવું કહીને પ્રભુએ પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન ઉપર બિરાજ્યા. વ્યંતરોએ તરત જ બીજી ત્રણ દિશાઓમાં તેમના પ્રતિબિંબો વિકુર્યાં, ચતુર્વિધ સંઘ પણ આવીને યોગ્ય સ્થાને બેઠો. પ્રભુ સહસ્ત્રામવનમાં સમોસર્યા છે એ સમાચાર જાણીને રાજા કુદ્રુહ પણ તરત જ ત્યાં આવ્યો અને ભગવંતને વંદન કરીને તે ઇન્દ્રની પાછળ બેઠો.
૧૫૦
ત્યાર પછી ઇન્દ્ર અને કુરુદ્રુહ રાજાએ ઊભા થઈને પ્રભુની સ્તુતિ કરી.
ઇન્દ્ર અને કુરુદ્ધહ રાજાએ સ્તુતિ પૂરી કરી ત્યાર પછી શ્રી અરનાથ પ્રભુએ ધર્મદેશના આપી. શ્રી અરનાથ પ્રભુએ ચાર પુરુષાર્થમાં મોક્ષનો પુરુષાર્થ મુખ્ય છે. મોક્ષપદના અધિકારી બનવા માટે માણસ માત્રને પ્રયત્ન કરવો જોઈએ. સંસારના માયારૂપી બંધનો તૂટે તો આત્મજાગૃતિ થતા વાર લાગતી નથી. આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા લીધી.
શ્રી અરનાથ સ્વામીને કુંભ વગેરે સહિત તેત્રીશ ગણધરો થયા. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી તેમના પાદપીઠ પર બેસીને કુંભ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરુષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના પૂરી કરી. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ પ્રભુને વંદન કરીને પોતપોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org