________________
શ્રી અરનાથ સ્વામી
૧૪૯
ચક્રરત્નની પાછળ દિગ્વિજય અર્થે નીકળી પડ્યા.
શ્રી અરનાથ સ્વામીએ ચારસો વર્ષ સુધી આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન પ્રવર્તાવ્યું ચક્રવર્તીપણામાં પણ તેટલો જ (૨૧૦00 વર્ષ) કાળ પસાર થયો ત્યારે લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે હે સ્વામી, તીર્થ પ્રવતવિો..'
શ્રી અરનાથ સ્વામીએ દેવતાઓની વિનંતીનો સ્વીકાર કર્યો અને પ્રભુએ વાર્ષિક દાન આપવું શરૂ કર્યું.
શ્રી અરનાથ સ્વામીએ પોતાના પુત્ર અરવિંદને રાજ્યની ધૂરા સોંપી દેવતાઓ, મનુષ્યોના વિશાળ સમૂહ વચ્ચે શ્રી અરનાથ સ્વામી વૈજયંતી નામની શિબિકામાં પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવનાથી બિરાજ્યા અને શિબિકા સહસ્ત્રાપ્રવનમાં આવી.
શ્રી અરનાથ સ્વામીએ સુંદર, અનુપમ વૃક્ષો અને લત્તાઓથી શોભતા ઉધાનમાં પ્રવેશ કર્યો.
શ્રી અરનાથ સ્વામી વૈજયંતી શિબિકામાંથી ઉતર્યા અને રત્નાભૂષણોનો ત્યાગ કર્યો.
માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા દિવસના પાછલા પ્રહરે એક હજાર રાજાઓની સાથે શ્રી અરનાથ સ્વામીએ છઠ્ઠ તપ કરીને પ્રવજ્યા ગ્રહણ કરી તત્કાળ તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
બીજે દિવસે રાજપુર નગરમાં જઈને અપરાજીત રાજાને ત્યાં જઈને શ્રી અરનાથ સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને જ્યાં પ્રભુના ચરણ હતા ત્યાં રાજાએ રત્નપીઠ રચાવી.
આસન અને શયનનો સંપૂર્ણ ત્યાગ કરીને વિવિધ અભિગ્રહોને ધારણ કરતા શ્રી અરનાથ સ્વામીએ છદ્મસ્થપણામાં ત્રણ વર્ષ વ્યતિત કર્યા, પૃથ્વી પર વિહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org