SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચોવીશ તીર્થંકર સાંભળીને મહાદેવને અપાર હર્ષ થયો. સમય પસાર થવા લાગ્યો. શોભાને વધારતો અને ત્રણ જ્ઞાન ધરતો એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. અનુક્રમે માર્ગશીર્ષ માસની શુકલ દશમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા નંદાવર્તના લાંછનવાળા અને સર્વ લક્ષણોથી પૂર્ણ એવા એક કનકવર્તી પુત્રને માતાએ જન્મ આપ્યો. તે સમયે છપ્પન દિકકુમારીઓએ આવીને માતા તથા પુત્રનું સૂતિકાકર્મ કર્યું. તથા ચોસઠ ઇન્દ્રોએ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો. પછી ચંદનના વિલેપનાદિકથી પૂજા કરી, આરતી ઉતારીને સૌધર્મેદ્ર ભાવભરી સ્તુતિ કરી. ઈન્દ્રાદિ દેવોએ સ્તુતિ કરીને પ્રભુને હસ્તિનાપુર લઈ આવ્યા. ત્યાં મહાદેવીના પડખામાં પ્રભુને પધરાવ્યા. પ્રાંતકાળે રાજા સુદર્શને પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો નગરીના તમામ લોકોએ પ્રભુના જન્મોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના હૈયાનો ઉમંગ પ્રગટ કર્યો. મહાદેવીએ સ્વપ્નમાં અર (ચક્રના આરા) જોયેલા હોવાથી પ્રભુનું નામ અર પાડયું. દેવાંગના રૂપ ધાત્રીઓથી, સમાનવયના થઈને આવેલા દેવતાઓથી અને ક્રીડાના સાધનોથી કીડા કરતા પ્રભુ અરનાથકુમાર મોટા થયા. ત્રીશ ધનુષની કાયાવાળા શ્રી અરનાથ પ્રભુ પિતાના શાસનની ગૌરવતાને માટે યોગ્ય સમયે અનેક રાજકન્યાઓ સાથે પરણ્યા અને જન્મથી એકવીસ હજાર વષ પસાર થયા પછી શ્રી અરનાથ સ્વામીએ પિતાની આજ્ઞાથી. રાજ્યની ધૂરા સંભાળી મંડલિકપણામાં પણ તેટલા જ વર્ષ પસાર થયાં પછી શસ્ત્રાગારમાં ગગનચારી ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી પ્રાપ્ત થયેલા બીજાં તેર રત્નોને પણ લઈ શ્રી અરનાથ સ્વામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy