SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : શ્રી અરનાથ સ્વામી હસ્તિનાપુર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલું રળિયામણું અને દર્શનીય નગર. હસ્તિનાપુર નગરમાં મહારાજા સુદર્શનનું શાસન. મહારાજા સુદર્શન પ્રજાવત્સલ રાજવી હતો એટલું જ નહિ પરંતુ તે ધર્મપરાયણ, દયાળુ અને પરોપકારી રાજવી હતો. રાજા સુદર્શનની પ્રશંસા માલતી પુષ્પની સુગંધની જેમ ચોતરફ ફેલાયેલી હતી. રાજા સુદર્શનના રાજ્ય સંચાલનમાં પ્રજા સુખી અને સંતોષી હતી. પ્રજા દરેક વાતે સુખી અને સમૃદ્ધ હતી. મહારાજા સુદર્શનને મહાદેવી નામની પટ્ટરાણી હતી. રાજાને તે અતિ પ્રિય હતી. મહાદેવી સ્વભાવે સુશીલ, સંસ્કારી અને સદાચારિણી હતી. મહાદેવી અનિદ્ય રૂપસુંદરી હતી. મહારાજા સુદર્શન અને રાણી મહાદેવીના દિવસો સુખ અને આનંદ પ્રમોદમાં પસાર થતા હતા. એક વખતે ત્રૈવેયક દેવલોકમાં અને એકાંત સુખમાં મગ્ન એવા ધનપતિના જીવે ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું, અને ફાગણ માસની શુકલ દ્વિતીયાના દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા ત્યાંથી ચ્યવીને મહાદેવીના ઉદરમાં અવતર્યો. સુખેથી નિદ્રા માણી રહેલા રાણી મહાદેવીએ રાત્રીના અંતિમ પ્રહરમાં તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં. મહાદેવીએ તરત જ સ્વામીને ચૌદ મહાસ્વપ્નોની વાત કરી ત્યારે મહારાજાએ પત્નીને જણાવયું કે સુંદર, સ્વસ્થ પુત્રરત્નનો જન્મ થશે જે ચક્રવર્તી અને તીર્થંકર બનશે...આ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy