SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર જ્યારે ગૌરવર્ણવાળી, મયૂરના વાહન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બિજોરું અને ત્રિશુલ તથા બે વામ ભુજામાં મુષંઢી અને કમળને ધરનારી બલાદેવી નામે પ્રભુની સદા પાસે રહેનારી શાસનદેવી થઈ. ૧૪૬ શાસનદેવી ગંધર્વ યક્ષ અને શાસનદેવી બલાદેવી સદાય શ્રી કુંથુનાથ સ્વામીની સેવામાં રહેવા લાગ્યા. શ્રી કુંથુનાથ સ્વામીએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. શ્રી કુંથુનાથ સ્વામીને સાઠ હજાર સાધુઓ, સાઠ હજાર અને છસો સાધ્વીઓ, છસો ને સીતેર ચૌદપૂર્વધારી, અઢી હજાર અવધિજ્ઞાની, ત્રણ હજાર ત્રણસોને ચાલીશ મનઃપર્યવજ્ઞાની ભગવંતો, ત્રણ હજાર અને બસો કેવળજ્ઞાની ભગવંતો, પાંચ હજાર અને એકસો વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને ઓગણાએશી હજાર શ્રાવકો તથા ત્રણ લાખને એકાશી હજાર શ્રાવિકાઓનો પરિવાર કેવળજ્ઞાન થયા પછી વિહાર કરતાં થયો હતો. શ્રી કુંથુનાથ સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ત્રેવીશ હજાર સાતશોને ચોત્રીશ વર્ષ પસાર થયા ત્યારે પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણીને પ્રભુ સમેત શિખરે પધાર્યાં. અને ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કર્યું. માસના અંતે વૈશાખ માસની કૃષ્ણ પ્રતિપદાના દિવસે કૃતિકા નક્ષત્રમાં તે સર્વ મુનિઓની સાથે શ્રી કુંથુનાથ સ્વામી મોક્ષે ગયા. શ્રી કુંથુનાથ સ્વામીએ કૌમારપણામાં, રાજ્ય કરવામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં સરખા ભાગે આયુષ્ય ગાળીને પંચાણું હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું હતું. શ્રી શાંતિનાથ સ્વામીના નિર્વાણ પછી અદ્રુપલ્યોપમ કાળ ગયો ત્યારે શ્રી કુંથુનાથ ભગવંતનું નિર્વાણ થયું. તે અવસરે ઇન્દ્રાદિ દેવો ત્યાં આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy