________________
શ્રી કુંથુનાથ સ્વામી
૧૪૫
સુવર્ણના કમળ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રી કુંથુનાથ સ્વામીએ ચારસો અને વશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. અને તેની નીચે દેવ છંદક ઉપર રહેલા પૂર્વ સિંહાસન ઉપર “તીર્થાય નમઃ એમ કહીને પૂર્વાભિમુખે બેઠા. એટલે વ્યંતર દેવતાઓએ પ્રભુના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુની જેવા જ પ્રભુના પ્રતિબિંબો વિકવ્યાં. પછી યોગ્ય સ્થાને ચતુર્વિધ સંઘ બિરાજ્યો. મધ્ય ભાગમાં તિર્યચો બેઠા. અને નીચેના વપ્રમાં સર્વ વાહનો રહ્યાં.
પ્રભુને સમોસરેલા જાણીને કુરુવંશી રાજા તત્કાળ સમવસરણમાં આવ્યો અને પ્રભુને નમસ્કાર કરીને ઇન્દ્રની પાછળ અંજલી જોડીને બેઠો.
ત્યારપછી સૌધર્મઇન્દ્ર અને કુરુવંશી રાજા ફરીવાર પ્રભુને નમીને હૃદયમાં હર્ષ ધરતાં સ્તુતિ કરવા લાગ્યા.
ઇન્દ્ર અને કુરુરાજની સ્તુતિ પૂરી થયા પછી શ્રી કુંથુનાથ સ્વામીએ ધર્મ દેશના આપી સંસારના સ્વરૂપની માહિતી આપી અને આત્મ કલ્યાણનો માર્ગ બતાવ્યો.
પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા ગ્રહણ કરી. સ્વયંભુ વગેરે પ્રભુના પાંત્રીશ ગણધરો થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે સ્વયંભૂ ગણધરે પ્રભુના ચરણ પીઠ પર બેસીને દેશના આપી.
બીજી પૌરૂષી પૂરી થઈ એટલે ગણધરે દેશના સમાપ્ત કરી. એટલે સર્વ મનુષ્યો, દેવતાઓ વગેરે શ્રી કુંથુનાથ સ્વામીને વંદન કરીને પોતપોતાના સ્થાનકે જવા વિદાય થયા.
શ્રી કુંથુનાથ સ્વામીના તીર્થમાં રથના વાહનવાળો, શ્યામવર્ણ ધરનારો, બે દક્ષિણ ભૂજામાં વરદ અને પાસ અને બે વામ ભુજામાં બિજોરું અને અંકુશ રાખનારો, ગંધર્વ નામે યક્ષ શાસનદેવતા થયો. ચો. તી. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org