________________
૧૪૪
ચોવીશ તીર્થંકર
ત્યારપછી લોકાંતિક દેવતાઓ શ્રી કુંથુનાથ સ્વામી પાસે આવ્યા અને વિનંતી કરી: “સ્વામી, તીર્થ પ્રવર્તાવો.”
દેવતાઓની વિનંતી સાંભળીને તરત જ રાજ્યની ધૂરા પુત્રને સોંપીને વાર્ષિક દાનની સરિતા વહેવડાવવા માંડી.
વષતિ દેવ અને રાજાઓએ જેનો નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા પ્રભુ વિજયા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં પધાય ઉદ્યાનમાં પ્રવેશ્યા પછી શ્રી કુંથુનાથ સ્વામી શિબિકામાંથી ઊતર્યા. એમણે અલંકાર વગેરેનો ત્યાગ કર્યો.
વૈશાખ માસની કૃષ્ણ પંચમીએ કૃતિકા નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપયુક્ત શ્રી કુંથુનાથ સ્વામીએ પ્રવજ્યા અંગીકાર કરી.
શ્રી કુંથુનાથ સ્વામીને તરત જ મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન પ્રાપ્ત થયું.
શ્રી કુંથુનાથ સ્વામીએ બીજા દિવસે વ્યાઘસિંહ રાજાને ઘેર પરમ અન્નવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય ઉત્પન્ન કર્યા. રાજા વ્યાઘસિંહે પ્રભુના ચરણસ્થાને રત્નમય પીઠ કરાવી.
ત્યારપછી શ્રી કુંથુનાથ સ્વામીએ સોળ વર્ષ સુધી છવસ્થ. પણામાં પૃથ્વી પર વિહાર કર્યો.
અન્યદા શ્રી કુંથુનાથ સ્વામી વિહાર કરતાં કરતાં પાછા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં તિલક વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. ચૈત્ર માસની શુકલ તૃતીયાના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતાં ઘાતિકર્મનો ક્ષય થતાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
શ્રી કંશનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તત્કાળ ઈન્દ્રાદિદેવો સહિત ચર્તુવિધ દેવનિકાયે આવીને ત્રણ પ્રકારથી મંડિત એવું સમવસરણ રચ્યું દેવતાઓએ સંચાર કરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org