________________
શ્રી કુંથુનાથ સ્વામી
થયાં. પછી શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું.
શૂર રાજાના પુત્ર કુંથુનાથ સ્વામીએ શસ્ત્રાગારમાં જઈને ચક્રની પૂજા કરી. પછી ચક્રરત્નને અનુસરીને પ્રયાણ કરતાં અનુક્રમે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંધુદેવી, વૈતાઢયાક્રિકુમાર અને કૃતમાળ દેવને પોતાની જાતે સાધી લીધા. પછી સેનાપતિ પાસે સિંધુના બીજા નિકૂટને સધાવ્યું. ત્યાંથી ક્ષુદ્ર હિમાલય પર્વત સમીપે જઈને ક્ષુદ્રહિમવંતકુમારને સાધ્યો. પછી ઋષભફૂટ ઉપર પોતાનો આચાર છે.' એવું ધારીને પોતાનું નામ લખ્યું. ત્યાંથી ચક્રરત્નને અનુસરી ચક્રવર્તી પાછા વળ્યા.
શ્રી કુંથુનાથ સ્વામી ચૈતાઢ્ય પર્વત પર આવ્યા. ત્યાં બંને શ્રેણીમાં રહેલા વિદ્યાધરોએ વિવિધ ભેટ ધરીને પ્રભુની પૂજા કરી.
ગંગાદેવી, અને નાટ્યમાલ દેવને પોતે સાધી ગંગાનું મ્લેચ્છ લોકોએ ભરપૂર એવું નિષ્કૃટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ ઉઘાડેલા ખંડપ્રપાતા ગુફાના દ્વાર વડે વૈતાઢ્ય ગિરિમાં પ્રવેશીને પરિવાર સાથે સામી બાજુએથી નીકળ્યા, ત્યાં ગંગાના મુખ ઉપર રહેનારા નૈસર્પ વગે૨ે નવનિધિઓ પ્રભુને પોતાની મેળે સિદ્ધ થયા. અને ગંગાનું બીજું નિષ્કૃટ સેનાપતિ પાસે સધાવ્યું. એવી રીતે આખા ભરતક્ષેત્રને કુંથુનાથ સ્વામીએ છસો વર્ષે સાધી લીધું.
૧૪૩
ચક્રવર્તીની સંપત્તિથી પૂર્ણ, મનુષ્ય તથા દેવતાઓએ સેવેલા કુંથુનાથ સ્વામી દિગ્વિજય કરીને પાછા હસ્તિનાપુરમાં
આવ્યા.
ત્યાં દેવો અને મનુષ્યોએ શ્રી કુંથુનાથ સ્વામીનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. આ અભિષેકનો મહોત્સવ બાર વર્ષ પર્યંત ચાલ્યો હતો. શ્રી કુંથુનાથ સ્વામીને ચક્રવર્તીપણામાં ત્રેવીશ હજાર અને સાડા સાતસો વર્ષ નિર્ગમન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org