________________
૧૪૨
ચોવીશ તીર્થંકર
-
-
ચકવતી અને નવ માસ છે. ચંદ્ર નિજાતિવાળા અને
ચક્રવર્તી અને તીર્થંકર પુત્રરત્ન થશે.
અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ જતાં વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતાં છાગના ચિન્હથી અંકિત સુવર્ણના જેવી કાંતિવાળા અને સર્વ લક્ષણોથી સંપૂર્ણ એવા એક પુત્રને શ્રીદેવીએ જન્મ આપ્યો. તે સમયે ક્ષણવાર નારકી જીવોને સુખ ઉત્પન્ન થયું.
આ સમયે ઇન્દ્રાદિકના આસનો કંપાયમાન થયા. પ્રથમ આસન કંપથી છપ્પન દિકકુમારીઓએ માતા તથા પ્રભુનું સૂતિકાકર્મ કર્યું.
પછી શકેંદ્ર પાંચ રૂપે થઈ પ્રભુને મેરૂપર્વત પર લઈ ગયા. ત્યાં ત્રેસઠ ઈન્દોએ તીર્થજળથી પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાન ઈન્દ્રના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને શદ્ર સ્નાત્ર કરાવ્યું. ત્યાર પછી પૂજાદિ વિધિ કરીને પ્રભુની સ્તુતિ કરી.
શકેન્દ્ર સ્તુતિ પૂરી કર્યા પછી તેમને લઈને હસ્તિનાપુર આવ્યા છે ત્યાં શ્રીદેવીની પાસે પ્રભુને પ્રસ્થાપિત કર્યા.
પ્રાતઃકાળે શૂર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો.
નગરીના લોકોએ ઉત્સાહ દાખવીને રાજકુમારના જન્મોત્સવમાં સાથ પુરાવ્યો.
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા શ્રીદેવીએ કુંથુ નામનો રત્નસંચય જોયો હતો. તેથી પિતાએ તેમનું કુંથુ એવું નામ પાડ્યું.
ઇદ્ર અંગૂઠામાં સંક્રમાવેલા અમૃતનું પાન કરતાં પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામતાં પાંત્રીશ ધનુષ્ય ઊંચી કાયાવાળા થયા.
પિતાની આજ્ઞાથી શ્રી કુંથુનાથ કુમારે યોગ્ય સમયે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યા. જન્મથી ત્રેવીશ હજાર અને સાડા સાતસો વર્ષ પસાર થયા પછી કુંથુનાથ સ્વામીએ પિતાની આજ્ઞાથી રાજ્ય ગ્રહણ કર્યું. તેટલાં જ વર્ષ મંડલિકપણામાં પસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org