________________
૧૭
* શ્રી કુંથુનાથ સ્વામી
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલી મનોરમ્ય નગરી હસ્તિનાપુરની જાહોજલાલી અપૂર્વ હતી. નગરીના સુઘડ, સ્વચ્છ માગ, સુયોગ્ય રીતે ગોઠવાયેલી બજારોમાં પરગામના પ્રવાસીઓની સતત અવરજવર રહેતી હતી.
- હસ્તિનાપુર નગરીમાં મહારાજા શૂર નામનો રાજા રાજ કરતો હતો. મહારાજા શૂર ધર્મી, આરોગ્યનિષ્ઠ અને પ્રજાવત્સલ રાજવી હતો. મહારાજા શૂરને શ્રી નામની રૂપલાવણ્ય ધરાવતી સુંદર પટ્ટરાણી હતી.
મહારાજા શૂર અને મહાદેવીશ્રીના દિવસો સુખેથી પસાર થતા હતા.
એક વખત સવથિસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને સિંહાવહ રાજાનો જીવ શ્રાવણ માસની કૃષ્ણ નોમના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતા ત્યાંથી ચ્યવીને શ્રીદેવીના ઉદરમાં અવતર્યો.
તે સમયે શ્રીદેવીએ ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં. ચાર દાંતવાળો હાથી, કુમુદ પુષ્પના જેવી કાંતિવાળો વૃષભ, ઊંચી કેશરાશિવાળો કેશરીસિંહ, અભિષેક વડે મનોહરા લક્ષ્મી, પંચવર્ણ પુષ્પની માળા, પૂર્ણિમાનો ચંદ્ર, ઉદ્યોત કરતો સૂર્ય, પતાકા સહિત મહાધ્વજ, સુવર્ણનો પૂર્ણકુંભ, કમળોથી ભરપૂર સરોવર, તરંગ વડે ઊછળતો સમુદ્ર, રત્નમય વિમાન, આકાશ સુધી ઊંચો રત્નપુંજ તથા નિધૂમ અગ્નિ. આ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નો શ્રીદેવીએ મુખમાં પ્રવેશતા નિહાળ્યા.
શ્રીદેવીએ મહારાજા શૂરને ચૌદ મહાસ્વપ્નોની વાત કરી. ત્યારે રાજા શૂરે જણાવ્યું કે આ સ્વપ્નના પ્રભાવથી તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org