________________
ચોવીશ તીર્થંકર
એકસઠ હજાર છસો સાધ્વીઓ, આઠસો ચૌદ પૂર્વધારીઓ, ત્રણ હજાર અવધિજ્ઞાનીઓ, ચાર હજા૨ મનઃપર્યવજ્ઞાની, ચાર હજાર ને ત્રણસો કેવળજ્ઞાની, છ હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર અને ચારસો વાદ લબ્ધિવાળા, બે લાખ ને નેવું હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ, આ પ્રમાણે કેવળજ્ઞાનથી આરંભીને ચોવીશ હજાર નવસો ને નવાણું વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુનો પરિવાર થયો.
૧૪૦
પોતાનો નિર્વાણ સમય નજીક જાણીને શ્રી શાંતિનાથ પ્રભુ સમેતશિખર તીર્થ પર પધાર્યાં. અને ત્યાં નવસો મુનિઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું.
એક માસના અંતે જયેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શ્રી શાંતિનાથ સ્વામી તે મુનિઓની સાથે મોક્ષગામી થયા.
કૌમારપણામાં, મંડલિકપણામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં પ્રત્યેકમાં પચીશ હજાર વર્ષો પસાર થયા હોવાથી શ્રી શાંતિનાથ પ્રભુનું એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું.
શ્રી ધર્મનાથ સ્વામીના નિર્વાણ પછી શ્રી શાંતિનાથ સ્વામીનો નિર્વાણકાળ ઉણા પલ્યોપમે ઉણ ત્રણ સાગરોપમ ગયા પછી થયેલો.
ઇન્દ્રાદિક દેવતાઓએ આવીને શ્રી શાંતિનાથ પ્રભુનો નિર્વાણ મહિમા કર્યો.
કેટલોક કાળ પસાર થયા પછી ચક્રાયુધ ગણધરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ પૃથ્વી પર વિહાર કરીને અનેક જીવોને પ્રતિબોધ્યા. આયુષ્યનો ક્ષય થતાં ચક્રાયુધ ગણધર કોટિશિલા નામના તીર્થ ઉપર ઘણા સાધુઓની સાથે મોક્ષે ગયા.
★★
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org