________________
શ્રી શાંતિનાથ સ્વામી
૧૩
ચક્રાયુધના અંતરમાં સંસાર પ્રત્યે વિરાગ ઉત્પન્ન થયો.
ચકાયુધ રાજાએ પોતાના કવચધારી પુત્ર કુરૂચંદ્રને રાજ્યની ધૂરા સોંપીને અન્ય પાંત્રીશ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી.
ચકાયુધ વગેરે છત્રીશ ગણધરોને પ્રભુએ ઉત્પાદ, વિગમ, ધ્રૌવ્ય એ ત્રિપદીનો ઉપદેશ કર્યો. તે ત્રિપદીના અનુસારે તેમણે દ્વાદશાંગી રચી. ત્યારપછી પ્રભુએ તેમને અનુયોગ, અનુજ્ઞા અને ગણાનુજ્ઞા આપી તે સમયે ઘણા નર તથા નારીઓએ દીક્ષા લીધી. અનેક લોકોએ સમકિત પૂર્વકનું શ્રાવકપણે સ્વીકાર્યું.
પ્રથમ પોષી પૂરી થયા પછી પ્રભુ દેવજીંદા ઉપર વિશ્રામ લેવા બેઠાં. પ્રભુની ચરણપીઠ ઉપર બેસીને મુખ્ય ગણધર ચક્રાયુધ સંઘની આગળ દેશના આપવા માંડી.
બીજી પૌરૂષી પૂરી થતાં ચક્રાયુધ ગણધરે દેશના પૂરી
કરી.
દેવતાઓ પ્રભુને વંદના કરીને પોતાના સ્થાનકે ગયા.
શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં સુવરના વાહનવાળો, શ્યામવર્ણ ધરનારો, ડુક્કરના જેવા મુખવાળો, બે દક્ષિણ ભુજામાં બિજોરે અને કમલ, તથા બે વામણુજામાં નકુલ અને અક્ષત્રને ધરનારો ગરૂડ નામનો યક્ષ પ્રભુનો શાસન દેવતા થયો.
જ્યારે ગૌર અંગવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને ઉત્પલ તથા બે વામ ભુજામાં કમંડળ અને કમળને ધરનારી નિવણી નામની યક્ષિણી પ્રભુની શાસનદેવી થઈ.
તે બને શાસનદેવતાઓ નિરંતર પ્રભુની સેવામાં રહેવા લાગ્યા. શ્રી શાંતિનાથ પ્રભુ ત્યાંથી વિહાર કરીને પૃથ્વી પર વિહરવા લાગ્યા.
બાસઠ હજાર આત્મામાં જ સ્થિતિ કરનાર મુનિરાજો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org