________________
ચોવીશ તીર્થંકર
તરફ અસુરકુમારોએ, પશ્ચિમ તરફ સુષર્ણકુમા૨ દેવોએ અને ઉત્તર તરફ નાગકુમારોએ વહન કરવા માંડી..
સુંદર, સુશોભિત શિબિકામાં આરૂઢ થયેલા શ્રી શાંતિનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં ગયા. પ્રભુ શિબિકા ઉપરથી ઊતર્યાં. પછી. રાજ્યની પુષ્પમાલ્ય અને રત્નાલંકારાદિકનો ત્યાગ કર્યો
૧૩૮
જયેષ્ઠ કૃષ્ણ ચતુર્દશીના દિવસે ભરણી નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે સિદ્ધને નમસ્કાર કરીને છઠ્ઠ તપવાળા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તે જ સમયે પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યારપછી બીજે દિવસે સુમિત્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ તે રાજાના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. સુમિત્ર રાજાએ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠિકા રચાવી.
ત્યારપછી પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એક વર્ષ બાદ શ્રી શાંતિનાથ પ્રભુ હસ્તીનાપુરના સહસ્ત્રાપ્રવનમાં પાછા આવ્યા. ત્યાં છઠ્ઠની આરાધના કરીને નંદી વૃક્ષની નીચે શુકલ ધ્યાન ધરતા પ્રભુના ઘાતિકર્મ તૂટી ગયાં.
પોષ માસની શુકલ નવમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શ્રી શાંતિનાથ પ્રભુને ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસન કંપવાથી દેવતાઓ શીઘ્ર ત્યાં આવી પહોંચ્યા અને સમવસરણની રચના કરી. રાજા ચક્રાયુધ પણ સમાચાર જાણવા મળતાં તરત જ સહસ્ત્રામ્રવનમાં દોડી આવ્યો હતો.
ત્યાં ચક્રાયુધ અને ઇન્દ્રે શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરી. ત્યારપછી શ્રી શાંતિનાથ પ્રભુએ ધર્મદેશના આપવા માંડી. શ્રી શાંતિનાથસ્વામીએ સંસારનું સ્વરૂપ અને આત્મ કલ્યાણનો માર્ગ સમજાવ્યો. ધર્મદેશના સાંભળી રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org