________________
શ્રી શાંતિનાથ સ્વામી
૧૩૭
શાંતિનાથ પ્રભુ સ્વામી હતા. ત્રણસો અને ત્રેસઠ પાકશાસ્ત્રીઓ તેમની સેવા કરતા હતા. અઢાર શ્રેણી પ્રશ્રેણી વડે તેમની ભૂમિ શોભતી હતી. બોતેર હજાર મોટા નગરોના રક્ષક હતા. એક હજારે ઊણા એક લાખ દ્વાણ મુખ ઉપર તેમનું શાસન ચાલતું હતું. અડતાલીશ હજાર પત્તન અને ચોવીશ હજાર કર્બટ તથા મંડળના તે અધીશ્વર હતા. વીશ હજાર રત્નાદિકની ખાણોના અને સોળહજાર ખેટ ગ્રામના તે ઈશ હતા. ચૌદ હજાર સંબોધના તથા છપ્પન અંતર દ્વીપના તે પ્રભુ હતા, અને ઓગણપચાસ કુરાજ્યોના નાયક હતા.
- શ્રી શાંતિનાથ પ્રભુ પખંડ ભરતને ભોગવતા હતા. તેઓ હમેશા ગીત, નૃત્ય, તાંડવ, નાટકના અભિનય, પુષ્પચય અને જલક્રીડા વગેરેથી ઉત્તમ સુખ અનુભવતા હતા.
ચક્રવર્તીપણાના અભિષેકથી આરંભીને આઠસો વર્ષ ઊણા પચ્ચીસ હજાર વર્ષો તેમણે રાજ્ય કરવામાં નિર્ગમન કર્યા.
તે સમયે બ્રહ્મ દેવલોકમાં રહેનારા લોકાંતિક દેવતાઓનાં આસનો કંપિત થયાં. દેવતાઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે શ્રી શાંતિનાથ પ્રભુને દીક્ષા ગ્રહણ કરવાનો સમય નજીક આવ્યો છે. તરત જ દેવતાઓ શ્રી શાંતિનાથ પ્રભુ પાસે આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી અંજલિ જોડીને કહ્યું : “હે સ્વામી, તીર્થ પ્રવર્તાવો...” આટલું કહીને પ્રભુને નમસ્કાર કરીને લોકાંતિક દેવો પાછા સ્વર્ગમાં ગયા.
પછી જૂભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. વર્ષ પછી ચકાયુધ નામના પુત્રને રાજ્ય સોંપીને શ્રી શાંતિનાથ પ્રભુ પ્રવજ્યા ગ્રહણ કરવા માટે તત્પર થયા.
તે વખતે ઈન્દ્ર વગેરે પ્રમુખ દેવતાઓએ અને ચકાયુધાદિ રાજાઓએ મળીને ચક્રવર્તી પણ જેવો પ્રભુનો દીક્ષાભિષેક કર્યો.
ત્યારપછી સવર્થિ નામની શિબિકામાં રત્નસિંહાસન ઉપર શ્રી શાંતિનાથ સ્વામી આરૂઢ થયા. સવર્થ શિબિકાને પ્રથમ તો મનુષ્યોએ ઉપાડી અને પછી પૂર્વ તરફ વૈમાનિક દેવોએ, દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org