________________
ચોવીશ તીર્થંકર
ચંદનથી, પદ્મહૃદયના જળથી અને બીજા રત્નોથી શ્રી શાંતિનાથ સ્વામીનું પૂજન કર્યું.
૧૩૬
ત્યાંથી ૠષભકૂટાત્રિએ જઇ કાંકણી રત્ન હાથમાં લઈ ચક્રવર્તીના કલ્પ પ્રમાણે પાંચમા ચક્રવર્તી શાંતિનાથ' એવા અક્ષરો લખ્યા. શત્રુઓના પરાક્રમોને શાંત કરીને શ્રી શાંતિનાથ સ્વામી વૈતાઢય પર્વતની ભૂમિ પાસે આવ્યા. ત્યાં બન્ને શ્રેણીમાં રહેનારા વિદ્યાધરોના રાજાઓએ ચક્રવર્તીનો પ્રેમભીનો સત્કાર કર્યો. ત્યાંથી ગંગાનદીના તટે જઈને પોતે ગંગાદેવીને સાધ્યા, અને સેનાપતિ પાસે ગંગાનો ઉત્તર નિષ્કટ સધાવ્યો. ત્યાંથી વૈતાઢય નીચેની ખંડપ્રપાતા નામની ગુફા પાસે આવ્યા અને ત્યાં રહેતા નાટયમાલ દેવને વશ કર્યો. સેનાપતિએ દંડરત્નથી તે ગુફાને ખોલી એટલે શાંતિનાથ ચક્રીએ ચક્રરત્નને અનુસરીને તેમાં પ્રવેશ કર્યો. સૈન્ય સહિત પ્રભુ વાáકી રત્ને બાંધેલી પાજથી ઉન્મગ્રા અને નિમગ્રા નદીના જળમાં ઊતરી ગયા. અને ગુફાના દક્ષિણ દ્વારથી પ્રભુ સેના સહિત બહાર નીકળી ગયા. પછી ગંગા નદીના વિપુલ તટ પર છાવણી નાખી. ત્યાં નિવાસ કરતાં નૈસર્પ વગેરે નવિનિધ શાંતિપ્રભુ પાસે આવીને તેમને વશ થયા.
આ પ્રમાણે શાંતિનાથ ચક્રવર્તી ષટ્ અગ્નિવર્ગની જેમ ખંડ ભરતને સાધીને આઠસો વર્ષે પાછા આવ્યા.
પ્રભુ હસ્તિનાપુર પાછા આવ્યા. નગરજનોએ શ્રી શાંતિનાથ સ્વામીનું ભવ્ય સ્વાગત કર્યું. દેવતાઓ, રાજાઓએ શ્રી શાંતિનાથ સ્વામીનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. તે અભિષેક ઉત્સવ બાર વર્ષ પર્યંત ચાલ્યો હતો.
ચક્રવર્તી શાંતિનાથ પ્રભુની રક્ષા હજાર-હજાર યક્ષો કરે છે એવા ચૌદ રત્ન અને નવનિધિએ આશ્રિત કરેલા હતા. ચોસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓથી પરવરેલા હતા. ચોર્યાશી લાખ હાથી, ચોર્યાશી લાખ અશ્વો અને તેટલાં જ ૨થોથી વિભૂષિત હતા. ઇન્દુકોટી ગ્રામ, છન્દુકોટી પાયદળ, બત્રીશ હજાર દેશ અને તેટલા રાજાઓના શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org