SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ સ્વામી ૧૩૫ જળની ધારાઓ વહેવડાવી. થોડી વારમાં શાંતિનાથ સ્વામીનું સૈન્ય જળના પ્રવાહના કારણે પીડિત થવા લાગ્યું. દરેક છાવણીમાં જળ પ્રવેશી ગયું હતું. પાંચમા ચક્રવર્તીએ કર વડે ચર્મરત્નનો સ્પર્શ કર્યો. તેથી પાણીમાં જેમ સેવાળ, જાળ અને ફીણનો પિંડ વધે તેમ ચર્મરત્ન બાર યોજન સુધી વિસ્તાર પામ્યું. શ્રી શાંતિનાથ પ્રભુની આજ્ઞાથી સૈન્ય ચર્મરત્નની ઉપર ચડી ગયું. ત્યાર પછી છત્રરત્નને સ્પર્શ કર્યો. તેથી છત્ર બાર યોજન સુધી લંબાયું. અંધકારનો નાશ કરવા મણિરત્નનો ઉપયોગ કરવામાં આવ્યો. શ્રી શાંતિનાથ સ્વામી સૈન્ય સાથે તે જળમાં સાત દિવસ પર્યત રહ્યા. પછી પ્રભુના સેવક દેવતાઓ ક્રોધ ધારણ કરીને મેઘકુમારોને કહેવા લાગ્યા : “અરે...મેઘકુમારો, તમે વિચાર્ય વગરનું શું આરંભ્ય છે ? તમે કોની સામે શસ્ત્ર ઉગામ્યું છે તે જાણો છો ?' અને પ્રભુના સેવક દેવતાઓએ મેઘકુમારોને સમજાવ્યા કે આ શાંતિનાથ પ્રભુ જ તમારું શરણ છે...' અને મેઘકુમારો તરત જ ક્રોધ છોડીને શાંત થયા અને અમૂલ્ય ભેટ સોગાદો લઈને શાંતિનાથ પ્રભુ પાસે આવ્યા. મેઘકુમારોએ શાંતિનાથ પ્રભુને વંદન કરીને કહ્યું ઃ પ્રભુ, અરણ્યના વૃષભની જેમ અમે સદા ઉન્મત્ત છીએ, તેથી આપના પગલાં અહીં પડ્યા છે તે નહિ જાણતાં, અજાણ્યે અમારાથી જે અપરાધ થયો છે તે માટે ક્ષમા પ્રદાન કરો. અમારા પર પ્રસન્ન થાઓ. આપના આજ્ઞાંકિત સેવકો છીએ આપ આજ્ઞા કરો.” શાંતિનાથ પ્રભુએ મ્લેચ્છોનો સત્કાર કરીને ભેટનો સ્વીકાર કર્યો. શાંતિનાથ સ્વામીએ સેનાપતિ પાસે સિંધુનો ઉત્તર નિષ્કટ સધાવ્યો. ત્યાંથી શાંતિનાથ સ્વામી હિમાલય પર્વત પર આવ્યા. ત્યાં પર્વતના અધિષ્ઠાયક હિમવકુમારે ગોશીષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy