________________
ચોવીશ તીર્થકર
-
સમય જતાં કલ્પવૃક્ષો હીનસત્વ થઈ ગયાં, તેમની ફળ આપવાની શક્તિ પણ હીન થઈ ગઈ. તેથી કષાય વધી પડ્યો. નીતિ મયદાનું ઉલ્લંઘન થવા માંડ્યું. યુગલિયા પરસ્પર કલહ કરવા લાગ્યા. યુગલિયા પોતાની ફરિયાદો કુળકર નાભિદેવને કહેવા લાગ્યા. તેઓની ફરિયાદ વિચિત્ર હતી.
કુળકરના રાજાઓએ અપનાવેલી હકાર, મકાર અને ધિક્કાર નીતિ જાણે હવે વ્યર્થ બની રહી હોય તેમ જણાતું હતું.
કુળકર નાભિદેવે ફરિયાદ લઈને આવતા યુગલિયાને જણાવી દીધું કે ઋષભકુમાર તમારો રાજા થશે. યુગલિયા રાજાનો અર્થ તો સમજ્યા નહોતા પણ માનવકુળો આનંદમાં આવી ગયાં હતાં.
લોકોના સમૂહ ઋષભકુમાર પાસે આવવા નીકળી પડ્યા. ઋષભકુમારે યુગલિયાના પ્રશ્નોનો નિકાલ આણ્યો.
યુગલિકોની પ્રાર્થના અનુસાર નાભિ રાજાએ ઋષભદેવને રાજા થવાનો આદેશ આપ્યો. ઈન્દ્ર આવીને પ્રભુનો રાજ્યાભિષેક અત્યંત ઉલ્લાસપૂર્વક કર્યો. એ વખતે ઇન્દ્ર કુબેરને વિનીતાનગરી રચવાની આજ્ઞા કરી. આ વિનીતાનગરી અયોધ્યાનગરી નામે પણ ઓળખાવા લાગી.
2ષભદેવે સૌને આજીવિકા માટેનાં વિવિધ સાધનો શીખવ્યાં. જમીનમાં અનાજ કઈ રીતે વાવવું કઈ રીતે પકાવવું રહેવા માટેનાં મકાનો કઈ રીતે તૈયાર કરવાં વગેરે બાબતો ઋષભકુમારે યુગલિયાઓને શિખવી.
ઋષભદેવે શિલ્પ વિજ્ઞાન સો જાતના પ્રગટ કર્યો. તે આ પ્રમાણે કુંભાર, લવાર, ચિતાર, વણનાર, હજામ, એ પાંચમાંથી એકેકના વીશવીશ ભેદ કરતાં કુલ સો ભેદ થાય છે.
એ પછી પ્રજા એ રીતે શિલ્પકળાઓ કરવા લાગી. ભરતે પિતા ઋષભદેવ પાસેથી પુરુષની બોતેર કલાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org