________________
શ્રી ઋષભદેવ સ્વામી
જ્યારે સુનંદાએ પુત્ર બાહુબલિ અને પુત્રી સુંદરીને જન્મ આપ્યો. ત્યાર પછી સુમંગલાએ પુત્રના ઓગણપચાસ (૯૮ પુત્રો) જોડલાને જન્મ આપ્યો.
વિંધ્યાદ્રિમાં હાથીનાં બાળકોની પેઠે મહાપરાક્રમી અને ઉત્સાહી એવાં તે બાળકો આમતેમ રમતાં અનુક્રમે વૃધ્ધિ પામવા
લાગ્યાં.
9
ભરત, બાહુબલિ, શંખ, વિશ્વવર્મ, વિમળ, શુભક્ષણ, અમળ, ચિત્રાંગ, ક્ષાયકીર્તિ, વરદત્ત, દત્ત, સાગર, યશધર, વર, સ્થાવર, કામદેવ, ધ્રુવ, વત્સ નંદ, સૂર્ય, સુનંદ, કુરૂ, અંગ, રંગ, કોશલ, વીર, કલિંગ, માગધ, વિદેહ, સંગમ, દશાર્ણ, ગાંભિવ, વસુવર્મ, સુવર્મ, ૨ષ્ટ, સુરષ્ટ, વૃદ્ધિકર, વિવિધકરા, સુયશ, યશકીર્તિ, યશસ્કર, કીર્તિકર, સુષેણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, ચંદ્રસેન, મહસેન, સુષેણ, ભાનુ, કાંત, પુષ્પદ્ભુત, શ્રીધર, દુર્છર, સુષુમાર, દુર્રય, અજયમાન, સુધર્મ, ધર્મસેન, આનંદન, આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિષેણ, જય, વિજય, વિજયંત, પ્રભાકર, અરિદમન, માન, મહાબાહુ, દીર્ઘબાહુ, સ્થંભ, સુઘોષ, વવિશ્વ, વરાહ, વસુ, સેન, કપિલ શૈલવિદારી, અરિંજય, કુંજરબળ, જયદેવ, નાગદત્ત, કાશ્યપ, બળ, વીર, સુખમતિ, સુમતિ પદ્મનાભ, સિંહ, શયાતિ, સંયત, સુનાથ, નરદેવ, ચિત્રધર, સુરવર, દઢરથ, પ્રભંજન અને બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી સહિત એકસો બે સંતાનો આનંદ કિલ્લોલથી દિવસો પસાર કરી રહ્યાં હતાં. સમયનું પરિવર્તન થયું હતું.
માણસો એકઠા થઈને રહેતા શીખ્યા હતા. જો લડવાનું હોય તો એકઠા મળીને લડતા હતા. આમ વિવિધ સ્થળોએ અલગ અલગ સમૂહનો માનવકુળ રચાયો. કોઈને પણ પ્રશ્નો હોય તો તરત જ કુળક૨ નાભિદેવ પાસે આવતા અને પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org