________________
૧૩૨
ચોવીશ તીર્થકર
પાડવામાં આવ્યું. ચક્રાયુધ યૌવનવય પામ્યો ત્યારે પિતા શાંતિનાથે એના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે ક્યાં.
શ્રી શાંતિનાથકુમારને રાજ્યનો કારભાર ચલાવતાં પચ્ચીસ હજાર વર્ષ પસાર થઈ ગયા. એકવાર શ્રી શાંતિનાથકુમારની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ એનો અઠ્ઠાઈ ઉત્સવ કર્યો.
- તે ચક્ર અસ્ત્રશાળામાંથી નીકળીને પૂર્વદિશા તરફ ચાલવા માંડ્યું. અભુત અને દૈદિપ્યમાન ચક્રની પાછળ શાંતિનાથ રાજા વેગથી ચાલવા લાગ્યા. એની પાછળ હજારો સુભટ્ટો પણ તેજગતિથી ચાલતા હતા. પ્રતિદિન એક-એક યોજન ચાલીને તે ચક્ર સ્થિર રહેતું. આથી પ્રભુ ત્યાં બાર યોજન વિસ્તારવાળી છાવણી નાખીને મુકામ કરતા હતા.
અને એક દિવસ શાંતિનાથકુમાર માગધ તીર્થની નજીક આવ્યા. ત્યાં પ્રભુ નિર્વિકારપણે ઉત્તમ સિંહાસન પર બિરાજમાન
થયા.
તે સમયે માગધપતિનું સિંહાસન કંપિત થયું. માગધપતિ વિચારવા લાગ્યો કે મારું સિંહાસન કયા કારણોસર કંપિત થયું ? તરત જ માગધપતિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અને પછી વિચાર્યું કે “અહો, બાળકની જેમ મેં આવા અજ્ઞાન ભરેલા વિચારો કર્યો તેથી મને ધિક્કાર છે. અહીં સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી મારી ઉપર અનુકંપા લાવીને બેઠા છે.”
માગધપતિ તરત જ ભેટ સોગાદ લઈને શાંતિનાથ પ્રભુ પાસે આવ્યો અને અંતઃકરણથી વંદન કરીને કહ્યું : "પ્રભુ, હું આપનો પૂર્વ દિશાનો દિગુપાળ આપની આજ્ઞાને ધારણ કરનાર છું.” કહીને માગધપતિએ શાંતિનાથ પ્રભુના ચરણોમાં દિવ્ય વસ્ત્રાલંકારો અર્પણ કર્યા.
શ્રી શાંતિનાથે પણ દિપાળનો સત્કાર કરીને વિદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org