________________
શ્રી શાંતિનાથ સ્વામી
દેશમાંથી સર્વ અશિવ ઉત્પાત શાંત થયા હતા એવું ધારીને મહારાજા વિશ્વસેને પુત્રનું નામ શાંતિનાથ પાડ્યું.
શાંતિનાથ કુમાર વિવિધ ક્રીડાઓ કરતાં બાલવય પસાર કરીને યૌવનવયમાં આવ્યા ત્યારે તેમની કાયા ચાલીશ ધનુષ્ય પ્રમાણની હતી.
પુત્રને યૌવનવયમાં પ્રવેશેલો જોઈને રાજા વિશ્વસેન અત્યંત આનંદિત થતા હતા. માતાપિતાની આગ્રહભરી ઇચ્છાને વશ થઈને શાંતિનાથકુમારે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ સંપન્ન કર્યાં. પચ્ચીસ હજાર વર્ષની વયે શાંતિકુમારને રાજ્યની ધૂરા સોંપીને રાજા વિશ્વસેને ત્યાગનો માર્ગ અપનાવ્યો.
૧૩૧
અને શાંતિનાથકુમાર યથોચિત પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. અર્હત પ્રભુને પણ નિકાચિત ભોગનીય કર્મ અવશ્ય ભોગવવા જ પડે છે. શાંતિનાથ કુમારના રાણીવાસમાં યશોમતી નામની મુખ્ય પટ્ટરાણી હતી.
એક વખતે યશોમતી દેવીએ સ્વપ્નમાં ચક્રને મુખમાં પ્રવેશ કરતું જોયું, તે સમયે દઢ૨થ મુનિનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં આયુષ્ય પૂર્ણ કરી, અવીને યશોમતીના ઉદરમાં ઉત્પન્ન થયો.
નિદ્રામાંથી જાગૃત થઈને રાણી યશોમતીએ સ્વપ્નની વાત પોતાના સ્વામી શાંતિનાથને કરી, ત્યારે ત્રણ જ્ઞાનના ધારક શાંતિનાથ પ્રભુએ કહ્યું : “દેવી, પૂર્વ જન્મમાં દઢરથ નામે એક મારે અનુજ બંધુ હતો. તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવીને તારા ઉદરમાં અવતરેલો છે. સમય આવતાં તે પુત્રને તમે જન્મ આપશો.’
પ્રાતઃકાળે સ્વામીના મુખે આ વાત સાંભળીને રાણી યશોમતી અતિ હર્ષિત બની.
સમય આવતાં યશોમતી રાણીએ સ્વસ્થ અને સુંદર પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નમાં ચક્ર જોયેલું હોવાથી એનું નામ ચક્રાયુધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org