________________
૧૩૦
ચોવીશ તીર્થંકર
શિલા પર આવ્યો. ત્યાં ઉત્સંગમાં પ્રભુને લઈને ઇન્દ્ર સિંહાસન પર બેઠા.
તે સમયે આસન કંપન થવાથી પ્રભુના જન્મને જાણીને અય્યત વગેરે ત્રેસઠ ઇન્દ્રો વગેરે તત્કાળ ત્યાં આવી પહોંચ્યા. અશ્રુતે પ્રભુને સ્નાન કરાવ્યું ત્યારપછી ઈશાનેંદ્ર પાંચ રૂપે થયા. એક રૂપે પ્રભુને ઉસંગમાં લીધા, એક રૂપે છત્ર અને બે રૂપે ચામર ધારણ કર્યો અને એક રૂપે ત્રિશૂળ લઈને આગળ ઊભા રહ્યા પછી શુક્ર ઇન્દ્ર ચાર વૃષભ વિકવ્યાં અને પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈન્દ્ર દેવદૂષ્ય વસ્ત્રથી અંગ લુછી ગોશીષચંદનનું વિલેપન કરી દિવ્ય અલંકારથી અને પુષ્પમાળાઓથી પ્રભુનું અર્ચન કર્યું. પછી વિધિપૂર્વક પ્રભુની આરતી ઉતારી.
ત્યારપછી ઇદ્ર ગદ્ગદ સ્વરે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુના ગુણ ગાવા લાગ્યો.
સ્તુતિ સમાપ્ત થયા પછી શુક્ર છે ઈશાનપતિ પાસેથી પ્રભુને લઈ સત્વર અચિરાદેવીની પાસે યોગ્ય રીતે પાછા મૂક્યા. તેમજ અચિરાદેવીની અવસ્થાપિની નિદ્રા અને અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી પ્રભુ માટે પાંચ અપ્સરાઓને ધાત્રીરૂપે રહેવાની આજ્ઞા કરીને શક્ર ઇન્દ્ર તેમજ બીજા ઇન્દ્રો વિદાય થયા અને પોતપોતાના સ્થાને ગયા.
જ્યારે મહારાણી અચિરાદેવી નિદ્રા રહિત થયા તે વખતે તેમને દિવ્ય વસ્ત્રાલંકાર તથા અંગરાગ વડેથી શોભતા તેજસ્વી પુત્ર જોવા મળ્યો. મહારાણી અચિરા આશ્ચર્ય સાથે અત્યંત આનંદ પામી અને મહારાજા વિશ્વસેનને બધી માહિતીથી વાકેફ કર્યા.
મહારાજા વિશ્વાસને પુત્રનો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો.
જ્યારે અચિરાદેવીના ઉદરમાં આ ગર્ભ આવ્યો ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org