SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ સ્વામી રાજા વિશ્વસેને નિમિત્તજ્ઞોને ભેટ સોગાદ આપીને પ્રસન્ન કર્યાં. તે દિવસથી દેવીએ રત્નગર્ભાની જેમ તે ગર્ભરત્નને ધારણ કર્યો. તે સમયમાં કુરુદેશમાં ઉદ્વેગ અને મહામારી વગેરે અનેક અશિવ ઉત્પાતો પ્રવર્તતા હતા. તેઓની શાંતિ માટે ઉપાય જાણનારાઓએ અનેક ઉપાયો કર્યા પરંતુ તેમાં સફ્ળતા પ્રાપ્ત થઈ નહિ. પરંતુ જ્યારે ભગવંત શ્રી અચિરા દેવીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા, તે વખતથી જ તે સર્વ અશિવકારી ઉત્પાત શાંત થયા. ખરેખર અત્યંત પ્રભુનો પ્રભાવ નિરવધિ છે. ૧૨૯ ત્યાર પછી નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા બાદ જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીને દિવસે ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવ્યો. તે સમયે મહાદેવી અચિરાદેવીએ મૃગના ચિહ્નવાળા કનકવર્ણી એક કુમારને જન્મ આપ્યો. એ સમયે ક્ષણભર તો નારકી જીવોને પણ અપૂર્વ સુખ થયું. છપ્પન દિકુમારીઓના આસન કંપાયમાન થયા એટલે તેઓએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે પ્રભુનો જન્મ થયો છે, તરત જ દિકુમારીઓ વિશ્વસેન મહારાજાના રાજભવનમાં આવી અને મહાદેવી અચિરાદેવી તથા પ્રભુને વંદન કરીને સૂતિકાકર્મ કર્યું તે સમયે સૌધર્મ ઇન્દ્રનું આસન કંપવાથી પ્રભુનો જન્મ જાણીને પાલક વિમાનમાં બેસીને પરિવાર સહ તે પ્રભુ પાસે આવ્યો. સૌધર્મ ઇન્દ્રે અચિરાદેવી ૫૨ અવસ્વાપિની નિદ્રા મૂકી તથા તેમની પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી પોતે પાંચ રૂપ ધારણ કર્યાં. તેમાંથી એક રૂપે પ્રભુને બે હાથમાં ધારણ કર્યાં. બે રૂપ બે બાજુ ચામર વીંઝવા લાગ્યા. એક રૂપે મસ્તક પર ઉજ્વળ છત્ર ધર્યું અને એક રૂપે વજ્ર ઉછાળતો આગળ ચાલ્યો. ક્ષણવારમાં સૌધર્મ ઇન્દ્ર પ્રભુને લઈને મેરુપર્વતની અતિ પાંડુકબલા નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy