________________
૧૨૮
મહાસ્વપ્નો જોયાં.
પ્રથમ સ્વપ્નમાં ઝરતા મદજલના સુગંધથી મત્ત થયેલા ભ્રમરાઓના શબ્દો વડે જાણે મુખ પ્રવેશની આજ્ઞા માગતો હોય તેવો ગજેન્દ્ર જોવા મળ્યો. બીજા સ્વપ્નમાં વૃષભના દર્શન થયા. ત્રીજા સ્વપ્નમાં પ્રભાવશાળી કેશરીસિંહ અવલોક્યો. ચોથા સ્વપ્નમાં બંને હાથી બે બાજુએ રહીને અભિષેક કરી રહ્યાં હોય અને વચ્ચે મહાલક્ષ્મી દિવ્ય રૂપ ધારણ કરીને બિરાજ્યા હોય તેવું સ્વપ્ન જોયું. પાંચમા સ્વપ્નમાં પંચવર્ણી દિવ્ય પુષ્યોથી ગૂંથેલી વિસ્તારવાળી માળા અવલોકી. છઠ્ઠા સ્વપ્નમાં દર્પણ જોવા મળ્યું. સાતમા સ્વપ્નમાં તેજસ્વી સૂર્ય જોવા મળ્યો. આઠમા સ્વપ્નમાં મહાધ્વજ, નવમા સ્વપ્નમાં જાણે લક્ષ્મીને રહેવાનું સ્થાન હોય તેવો અને સુગંધીત વિકસિત કમળવડે ઢાંકેલા મુખવાળો વિશાળ પૂર્ણ કુંભ જોયો. દશમા સ્વપ્નમાં સુગંધી કમળોથી મનોહર જળથી ભરેલું સરોવર જોયું. અગિયારમે સ્વપ્ને અપાર સાગર અવલોકયો. બારમે સ્વપ્ને અપ્રતિમ વિમાન જોવા મળ્યું. તેરમા સ્વપ્ને રત્નપુંજ જોવા મળ્યો અને ચૌદમા સ્વપ્ને નિર્ધમ અગ્નિ જોયો. આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોઈને અચિરા દેવીએ જાગૃત થઈને શય્યામાંથી ઊભા થયા અને રાજા વિશ્વસેનને ચૌદ સ્વપ્નની વાત કરી.
ચોવીશ તીર્થંકર
રાણી અચિરાના ચૌદ સ્વપ્નો જાણીને મહારાજા વિશ્વસેને કહ્યું : “દેવી, સ્વપ્નોના અર્થ પ્રમાણે લોકોત્તર ગુણવાળો અને ત્રણ લોકનું રક્ષણ કરવામાં તત્પર એવો પુત્ર થશે.’
પ્રાતઃકાળે મહારાજા વિશ્વસેને નિમિત્તજ્ઞોને બોલાવીને ચૌદ સ્વપ્નોનું ફળ પૂછ્યું, ત્યારે નિમિત્તજ્ઞોએ સહર્ષ જણાવ્યું : “મહારાજ, આ સ્વપ્નોનું ફળ એ છે કે આપને ત્યાં ચક્રી અથવા ધર્મચક્રી પુત્ર થશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org