________________
૧૬
• શ્રી શાંતિનાથ સ્વામી
હસ્તિનાપુર નગરી
કુરુદેશમાં આવેલી હસ્તિનાપુર નગરી શોભનીય અને દર્શનીય હતી. નગરીમાં આવેલા ઉદ્યાનો, ભવ્યતાથી ઓપતા ભવનો તથા સુઘડ અને સુંદર રાજમાર્ગો નગરીને વધુ દૈદિપ્યમાન બનાવતી હતી.
નગરીની એક તરફ આવેલું રાજભવન કલા કારીગીરીના અદ્દભુત નમૂના રૂપ હતું. વિશાળ રાજભવનમાં જ ઉપવનની રચના કરવામાં આવી હતી તેમજ ઋતુ ગૃહોની પણ રચના કરવામાં આવી હતી.
હસ્તિનાપુર નગરીના મહારાજા વિશ્વસેન નામનો રાજા રાજ્યનો કારભાર સંભાળતો હતો. તે રાજા શરયજનને વજ મંદિર જેવો, યાચકોને કલ્પવૃક્ષ જેવો અને લક્ષ્મી તથા સરસ્વતીને મિત્રતાની સંકેત-ભૂમિ સમો હતો.
મહારાજા વિશ્વસેનને અચિરા નામની રાણી હતી.
રાણી અચિરા સુશીલ, પતિવ્રત ધારિણી તેમજ સંસ્કારી હતી.
મહારાજા વિશ્વસેન અને રાણી અચિરાના દિવસો સુખેથી નિર્ગમન થતા હતા.
અને એક દિવસ અનુત્તર વિમાનોમાં મુખ્ય સવથિસિદ્ધિ નામના વિમાનમાં મેઘરથના જીવે સુખમગ્નપણે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું ત્યાંથી ચ્યવીને ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં તે અચિરા રાણીની કુક્ષિમાં અવતર્યો.
તે સમયે સુખેથી નિદ્રા માણી રહેલાં અચિરા દેવીએ રાત્રિના અંતિમ પ્રહરે અનુક્રમે મુખમાં પ્રવેશ કરતા ચૌદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org