________________
શ્રી ધર્મનાથ સ્વામી
સ્તુતિ પૂરી થયા પછી શ્રી ધર્મનાથ સ્વામીએ ધર્મદેશના આપી. શ્રી ધર્મનાથ સ્વામીએ સંસારનું રહસ્ય અને મુક્તિનો માર્ગ સમજાવ્યો. ત્યાગ વગર મુક્તિ નથી. જે કષાયને જીતે છે તે શિવસુખ પામે છે. વગેરે બાબતોનું તલસ્પર્શી દર્શન કરાવ્યું.
પ્રભુની દેશના સાંભળીને અનેક પુરુષોએ દીક્ષા ગ્રહણ કરી. પુરુષસિંહે સમક્તિ સ્વીકાર્યું. જ્યારે સુદર્શને શ્રાવકપણું અંગીકાર કર્યું.
પ્રથમ પૌરુષી પૂર્ણ થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. ત્યાર પછી પ્રભુની પાદપીઠ પર બેસીને અરિષ્ઠ ગણધરે દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતાં ગણધરે પણ દેશના પૂરી કરી. ત્યાર પછી ઇંદ્ર, દેવ, દેવતાઓ, સુર, અસુરો તેમજ અન્ય સૌ પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા.
અને શ્રી ધર્મનાથ સ્વામી ત્યાંથી વિહાર કરીને પૃથ્વી પર વિચરવા લાગ્યા.
કેવળજ્ઞાન ઉપલબ્ધ થયા પછી બે વર્ષે ઉણા અઢી લાખ વર્ષ સુધી વિહાર કરતાં શ્રી ધર્મનાથ સ્વામી ભગવંતને ચોસઠ હજાર સાધુ મહાત્મા, બાસઠ હજારને ચારસો સાધ્વીઓ, નવસો ચૌદ પૂર્વધારીઓ, ત્રણ હજાર અને છસો અવધિજ્ઞાનીઓ, ચાર હજાર અને પાંચસો મનઃ પર્યાવધારીઓ, તેટલા જ કેવળજ્ઞાની ભગવંતો, સાત હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર અને આઠસો વાદલબ્ધિવાળા, બે લાખ અને ચાલીશ હજાર શ્રાવકો (અન્યત્ર બે લાખ અને ચાર હજાર શ્રાવકો કહ્યાં છે. તથા ચાર લાખ અને તેર હજાર શ્રાવિકાઓ) -આ પ્રમાણે શ્રી ધર્મનાથસ્વામી ભગવંતનો પરિવાર થયો.
૧૨૫
પોતાનો મોક્ષ સમય નદિક આવેલો જાણીને શ્રી ધર્મનાથ સ્વામી સમેત્તશિખર ગિરિએ પધાર્યા.
ત્યાં શ્રી ધર્મનાથ સ્વામીએ એકસો ને આઠ મુનિવરો સાથે અનસન વ્રત ગ્રહણ કર્યું.
એક માસના અંતે જેઠ માસની શુકલ પંચમીએ ચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org