________________
ચોવીશ તીર્થંકર
શ્રી ધર્મનાથ સ્વામીને અરિષ્ટ વગેરે તેંતાલીસ ગણધરો
પ્રભુના શાસનમાં ત્રણ મુખવાળો, કાચબાના વાહનવાળો, દક્ષિણ ભુજાઓમાં બીજોડું, ગદા અને અભયને ધારણ કરનારો તથા વામ ભુજામાં નકુલ, પદ્મ અને અક્ષમાળાને ધરનારો રક્તવર્ણી અને તેજસ્વી કિંનર નામનો યક્ષ શાસનદેવતા થયો.
૧૨૪
થયા.
તથા ગૌર અંગવાળી, મત્સ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પલ અને અંકુશ તથા બે વામભુજામાં પદ્મ અને અભયને ધરનારી કંદર્પ નામે યક્ષિણી શાસનદેવી થઈ.
બન્ને નિરંતર પ્રભુની પાસે જ રહેલા લાગ્યા. બન્ને શાસન દેવતાથી સેવાતા શ્રી ધર્મનાથ સ્વામી પૃથ્વી પર વિહાર કરતાં કરતાં અનુક્રમે અશ્વપુર નામના નગરમાં આવ્યા.
તત્કાળ ઇન્દ્રાદિક દેવતાઓએ પાંચસોને ચાલીશ ધનુષ ઊંચું અશોક વૃક્ષ હતું ત્યાં સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વદ્વારેથી પ્રવેશ કર્યો અને ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા કરી અને તીર્થને નમન કરીને પૂર્વ સિંહાસન પર બિરાજમાન થયા. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુના જેવાં જ ત્રણ પ્રતિબિંબો રત્નસિંહાસન પર વિકૃર્યાં.
પ્રભુની પર્ષદામાં ચતુર્વિધ સંઘ પહેલા વપ્રમાં યોગ્ય સ્થાને બેઠો. બીજી હરોળમાં તિર્યંચો બેઠા અને ત્રીજી હરોળમાં વાહનો ગોઠવાયા.
ઉઘાનના રક્ષકો તરત જ અશ્વપુર નરેશ પુરુષસિંહ રાજાને શ્રી ધર્મનાથ સ્વામી સમોસર્યાના સમાચાર આપ્યા. આથી પુરુષસિંહ રાજાએ ઉપહારમાં ઉદ્યાનના રક્ષકોને સાડાબાર કોટિ ધન આપ્યું.
પુરુષસિંહ તથા સુદર્શન વગેરે તત્કાળ સમોસરણમાં આવ્યા ત્યાં પ્રભુની ભક્તિપૂર્વક પ્રદક્ષિણા તથા નમન કરીને ઇન્દ્રની પાછળ બેઠા.
ત્યાર પછી ઇન્દ્ર, પુરુષસિંહ તથા સુદર્શન વગેરેએ પ્રભુની સ્તુતિ
કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org